સુરતમાં વસવાટ કરતી આ કાશ્મીરની યુવતીને વેચવી છે જમીન.જાણો સંપૂર્ણ માહિતી

આપ સૌ જાણો જ છો કે જમ્મુકાશ્મીર માંથી કલમ 370 નો ખાત્મો થઈ ગયો છે. કાશ્મીરમાંથી 370 કલમ હટાવી દેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઐતિહાસિક નિર્ણય પછી હવે દેશનો કોઇપણ માણસ જમ્મુ કાશ્મીરમા જમીન લઇ શકે છે. જેથી દેશનાં સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં લોકો પોતાનું પણ એક ઘર હોય તેવું વિચારે છે.

આ દરમિયાન સુરતમાં રહેતી કાશ્મીરની છોકરીએ પણ પોતાની જમીન વેચવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ કાશ્મીરી યુવતી વર્ષો થી સુરત માં વસવાટ કરે છે. અને આ યુવતી પોતાનું મકાન વેચવા ઈચ્છે છે.

આમ તો આ યુવતી ને મકાન વેચવાની ઈચ્છા નહતી પરંતુ ઘણું વિચાર્યા બાદ તેને નક્કી કર્યું છે.

જમીન મૂળ કાશ્મીરની યુવતી મૃદુલ શર્મા હાલ સુરતનાં અડાજણ-પાલ રોડ પર રહે છે. મૃદુલ થોડાં વર્ષો પહેલાં જ લગ્ન કરીને સુરતમાં આવી છે.

રાજસ્થાનમાં અભ્યાસ કર્યા બાદ તેણે રોનક વર્મા સાથે લગ્ન કર્યા હતા.

મૃદુલનાં માતાપિતા હાલ કાશ્મીરમાં જ રહે છે. કાશ્મીરથી આવેલી મૃદુલે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પોતાની ત્યાં રહેલી જમીન વેચવા કાઢી છે.

મૃદુલ વર્મા સુરતમાં ફોટોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલી છે.માટે હવે તે અહીં જ રહેવા ઈચ્છે છે.તેમનો વ્યવસાય સુરત માં સારી રીતે સેટ થઈ ગયો છે

માટે તે હવે અહીં થઈ બીજે સ્થળાંતર નું વિચારી પણ નથી રહ્યા.મૃદુલના કેજેઓ મૂળ કાશમીર ના છે.

તેમનો પરિવાર પણ છે.કાશ્મીરનાં ઉધમપુરમાં તેનો પરિવાર રહે છે. મૃદુલના દાદાએ કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી હતી.

જો કે મોદી સરકારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ સોશિયલ મીડિયામાં કાશ્મીરમાં જમીન ખરીદવાના મેસેજ ફરતા થયા હતા.

જો કે મૃદુલે આ વાતને ગંભીરતાથી લીધી હતી. અને કાશ્મીરમાં રહેતાં તેના માતાપિતા સાથે વાત કરી હતી.અને તેઓ પણ સહમત થાય હતા અને તેઓ પણ મૃદુલા ને સહકાર આપવા નું વિચાર્યું છે.

મૃદુલનાં પરિવારની કાશ્મીરના ઉધમપુરના પંચેરીમાં જમીન છે. જમ્મુ કાશ્મીરમાં જમીનની માપણી મરલ્લામાં થાય છે. 1 મરલ્લા એટલે 270 સ્કેવર ફૂટ. 1 મરલ્લાની કિંમત અંદાજે 4થી 5 લાખ થાય છે.

પણ હવે આ કિંમતમાં ઉછાળો આવશે. તેમની પાસે કુલ 100 મરલ્લા જેટલી જમીન છે.અને તે આ જમીન ને હાલના ભાવ મૂજબ જ વેચવા ઈચ્છે છે.

મૃદુલનાં જણાવ્યાં પ્રમાણે પંચેરી એક હિલ સ્ટેશન વિસ્તાર છે. હિલસ્ટેશન હોવાથી તે પર્યટન સ્થળ પણ સાબિત થયું છે. હિમવર્ષા થતા જ અહીં અલગ નઝારો જોવા મળે છે.

અહીં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખૂબ બરફ વર્ષા થાય છે. અને બાકીના 10 મહિના અહીં આહલાદક વાતાવરણ રહે છે.

આ જમીન જમ્મુથી 90 કિમી દૂર અને ઉધમપુરથી 40 કિમી દૂર છે. આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીં આર્મીનો બેઝકેમ્પ આવેલો છે.

તેથી અહીં સુરક્ષા પણ સારી છે. અને સાથે સાથે તે પર્યટન સ્થળ પણ છે માટે હવે આ જમીન સોના ની સાબિત થઇ શકે છે.જમ્મુકાશ્મીર માં હોવી પર્યટકો વધી શકે છે જેના ચલતે તેની માંગ વધી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top