News

આ યુવક લગ્નની પહેલીજ રાત્રે નશામાં હેવાનની જેમ વિસ્મયા પર તૂટી પડ્યો,અને પછી જે થયું તે ખુબજ દર્દનાક હતું જાણો વિગતે

આપણે આવા કિસ્સા ઓ તો ખુબજ જોયા સાંભળ્યા હશે,પરંતુ આ કિસ્સો થોડો અલગ છે,આ કિસ્સો એવો છે જે તમે વાંચીને આશ્ચર્ય ચકિત થઈ જશો,વાંચો પૂરો કિસ્સો વિગતે.લગ્નની પ્રથમ રાતથી જ સંજય પોતાની તુલના મંદાર સાથે કરતો.

રાતના શરાબના નશામાં તે હેવાનની જેમ વિસ્મયા પર તૂટી પડતો. બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું.

જો કે હજુ હું આ બાબતે બિન અનુભવી છું. તું અનુભવી છે એટલે મને શીખવાડજે.

એમ કહી તે વિસ્મયાની મજાક ઉડાવતો.

 

 

વિસ્મયા ને ખબર ન હતી કે તેનું સુખ આ લગ્ન પછી નષ્ટ થઈ જશે,લગ્નના દોઢ વરસમાં જ તેનો સ્વર્ગ જેવો સંસાર નષ્ટ થઇ

જશે એનો વિસ્મયાને સપને પણ ખ્યાલ નહોતો. આ દોઢ વરસ પલક ઝબકતા જ પસાર થઇ ગયા.

કેટલા અરમાનો સાથે તે શ્વસુર ગૃહે આવી હતી. ઘરની લક્ષ્મીને તેની સાસુમાએ આંગળીના ટાચકા ફોડી પોંખી હતી.”મંદાર, હું મારી જાતને વિશ્વની સૌથી ભાગ્યશાળી નારી માનું છું.

લોકોને અદેખાઇ આવે એવો આપણો સંસાર છે. સપનામાં જોયો હતો એવો જ જીવનસાથી મળ્યો છે. મમ્મી-પપ્પાની ખોટ સાલવા ન દે એવા સાસુ-સસરા મળ્યા છે.

પૈસા ટકાની કોઇ કમી નથી. બંગલો, મોટર, દાગીના બધુ જ ન માગતા મળી ગયું છે. પાણી માંગું ત્યા દૂધ હાજર થાય છે.

કોઇ વાતની મને કમી નથી, જરૂર મેં ગોરાંદેને દસ આંગળીએ પૂજ્યા હશે.

તો શું હું તારા કરતા ઓછો ભાગ્યશાળી છું કે તારા જેવી સુંદર પત્ની મળી જે મારા માતા-પિતાને પુત્રીની ગરજ સાલવા દેતી નથી. તારા આગમન પછી તો અમારા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું છે.

સાચ્ચે જ વિસ્મયા તારા જેવી પત્ની મળી એ માટે હું ઇશ્વરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.” બંનેના હાસ્યથી તેમના બેડરૂમનું વાતાવરણ ઓર રંગીન બની ગયું.

વિસ્મયા અને મંદાર પણ આ વાતાવરણમાં રંગીન બની ગયા.લગ્નનું એક વર્ષ ક્યા પસાર થઇ ગયું એ વાતની વિસ્મયાને જાણ જ થઇ નહીં.

લગ્નના દોઢ વરસ પછી તેઓ બદ્રીનાથ ગયા હતા. બસ, એક  ખોળાને ખૂંદનારની કમી હતી.ભગવાન એ કમી પણ દૂર કરે એવી પ્રાર્થના કરવા તેઓ ઇશ્વર પાસે ગયા હતા.

 

પ્રાર્થના કરીને તેઓ નીચે ઊતરતા હતા ત્યારે વિસ્મયા આગળ ચાલતી હતી અને મંદાર તેની પાછળ પાછળ ચાલતો હતો. ”મંદાર, ઇશ્વરે આપણી બધી આશા પૂરી કરી છે.

હવે આપણાં આંગણામાં એક પા-પા પગલી પાડનાર આવે એટલે બસ. મમ્મી-પપ્પા પણ ચક્રવૃધ્ધી વ્યાજને રમાડવા ઉતાવળા બન્યા છે. ભગવાન તેમની આ આશા પૂરી કરે.”આમ વિસ્મયા બબડતી જતી હતી.

પરંતુ મંદાર તરફથી કોઇ હોંકાર ન મળતા તેણે પાછળ જોયું તો ત્યાં મંદાર હતો જ નહીં. બેબાકળી બની વિસ્મયા ચારે-કોર મંદારને શોધવા લાગી.

પરંતુ મંદારનો કોઇ અત્તો-પત્તો મળ્યો નહીં. સવારથી સાંજ સુધી વિસ્મયા મંદારને શોધતી રહી. તેની આંખો આંસુઓથી ભરેલી હતી.તે ખુબજ ઉદાસ હતી,તેની આંખોમાંથી આશુ આવવા લાગ્યા હતા.

વિસ્મયા ના આંખો માંથી આશુ આવતા હતા. પરંતુ તેના આંસુ લૂંછવા કોઇ હાજર નહોતું. વિસ્મયાની આ દશા જોઇ હોટેલનો મેનેજર તેને પોલીસ થાણે લઇ ગયો.

મંદાર ગુમ થવાની તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. વિસ્મયા પાસે ટેલિફોન નંબર લઇ અમદાવાદમાં મંદારના માતા-પિતાને આ વાતની જાણ કરી.

પહેલું પ્લેન મળતા જ મંદારના માતા-પિતા પણ બદ્રીનાથ આવી પહોંચ્યા.મંદારના માતા-પિતા પણ ખૂબજ ઉદાસ હતા,તેમને પણ તેને શોધવાની કોશિશ કરી.

મંદાર ને શોધવા માટે તેના માતા-પિતા અને તેની પત્ની પણ કામે લાગી ગયા હતા.એક સપ્તાહ સુધી મંદારની શોધ કરવામાં આવી.

પરંતુ પોલીસને કોઇ પગેરું હાથ લાગ્યું નહીં.અને પોલીસ પણ મંદાર ને શોધવામાં નાકામ રહી.ઘણા લોકો અહીં કહેતા હતા કે અહીં સાધુઓની ટુકડી ફરે છે.તે લોકોને ઉઠાવી જાય છે.

સાહેબ, અહીં સાધુઓની ટોળકી ફરે છે. તક મળતા જ તેઓ લોકોને ઉઠાવી જાય છે અને તેમની જમાતમાં ભેળવી દે છે.

એકવાર આ ટોળકીના હાથમાં આવી જાય એ વ્યક્તિની ભાળ મળવી મુશ્કેલ છે. આ બાબતે અમારું પોલીસ ખાતું પણ કંઇ કરી શક્યું નથી.

એ કબૂલતા મને ઘણું દુ:ખ થાય છે.” પોલીસ ઇન્સ્પેક્ટરે મંદારના પિતા મનોહર ભાઇને જણાવ્યું.મનમોહન ભાઈ આ જાણી ને ખુબજ દુઃખી થયાં, અને તેમના આંખ માથી આશુ આવી ગયા.

મંદારના પિતા અને માતા એ મંદાર ને શોધવાની ખુબજ કોશિશ કરી,પરંતુ તે મળ્યો નહીં,અનેક પ્રયાસ કરવા છતાં  પણ મંદારનો પત્તો ન લાગતા મનોહર ભાઇએ છેવટે અમદાવાદ પાછા ફરવાનું નક્કી કર્યું.

 

મંદારની ભાળ મળે તો તેમને જણાવવાની ઇન્સ્પેક્ટરને વિનંતી કરી તેઓ વિસ્મયા અને તેમની પત્ની રીટા બહેન સાથે અમદાવાદ પાછા ફર્યાં.

અને મંદાર ને શોધવાની પોલીસ ને વિનંતી કરી અને મંદાર નો કોઇ પણ પત્તો મળે તો જાણ કરવાની વિનંતી કરી.

મંદાર રોજ સપનામાં આવીને વિસ્મયા ને શુ કહેતો હતો તે વાંચી ને આશ્ચર્ય થશે વાંચો વિગતે,”વિસ્મયા હું તારી સાથે છું. તું જરા પણ ગભરાતી નહીં. હું તારાથી ભલે દૂર છું.

પરંતુ મારું દિલ તારી સાથે જ છે. હું નજીક હોઉં કે ન હોઉં તુ સદા હસતી જ રહેજે. તારી આંખમાં આંસુનું એક ટીપું પણ આવશે તો મારું શેર લોહી બળી જશે. રોજ રાત્રે સપનામાં આવી મંદાર વિસ્મયાને કહેતો.

આ પછી વિસ્મયા આખી રાત આંખનું એક મટકું પણ મારી શકતી નહીં. તેની આંખોમાંથી વહેતો શ્રાવણ-ભાદરવો તેનું ઓશીકું ભીંજવતો.અને વિસ્મયા આખી રાત ખુબજ રડતી હતી.

 

પરંતુ તે કાઈ કરી શકતી ન હતી.મોટો બંગલો, સુખ-સુવિધાઓ વિસ્મયાનું દુ:ખ ભૂલાવી શકતા નહોતા. મંદારની યાદ તે એક ક્ષણ પણ ભૂલાવી શકતી નહોતું.

મંદાર વિનાનું જીવન તેને નરક સમાન લાગતું હતું.અને તે મંદાર વિના ખુબજ નારાજ થઈ ગઈ હતી.અને તે હંમેશા ઉદાસ જ ફરતી હતી.

તેની આંખો માંથી હંમેશા આશુઓ જ નીકળતા હતા.એક દિવસ મનમોહન ભાઈ વિસ્મયા સાથે વાત કરી,એક દિવસ મનોહરભાઇએ તેને કહ્યું, ”બેટા, આ જિંદગી ઘણી લાંબી છે.

આ સફર કોઇ સાથી વિના કાપવી મુશ્કેલ છે. હજુ તારી ઉંમર પણ નાની છે. તું કહેતી હોય તો કોઇ સારો છોકરો શોધીએ,વિસ્મયા ખુબજ નિરાશ હતી.

 

વિસ્મયા એ રડતા રડતા જવાબ આપ્યો ના, પપ્પા, મંદાર જ મારો પતિ છે. એના સ્થાન પર હું બીજા કોઇને કલ્પી જ શકતી નથી. એક દિવસ મારો મંદાર જરૂર પાછો આવશે. એવી મારી આશા છે.” સસરાનું વાક્ય અધવચ્ચે કાપતા વિસ્મયા બોલી.

બીજા લગ્ન કરવા કરતા વિસ્મયા મંદારની યાદોને સહારે તેનું આખું જીવન કાપવા તૈયાર હતી.અને તે આખી જિંદગી મંદાર ની પત્ની બનીને રહેવા તૈયાર હતી

ત્યારબાદ મંદાર આવે કે ના આવે તે બીજા લગ્ન કરવા તૈયાર ન હતી.મંદાર ના માતા-પિતા વિસ્મયા ને રોજ સમજાવતા હતા.અને કહેતા બીજા લગ્ન કારીલે, આ પછી તેના સાસુ-સસરા તેને બીજા લગ્ન કરી લેવા માટે રોજ જ સમજાવતા.

પરંતુ વિસ્મયા તેમની વાત પર ધ્યાન આપતી નહોતી. બીજા લગ્ન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો. મંદારના ગયા પછી તેની સાસુનું વર્તન પણ બદલાઇ ગયું હતું. રીટા બહેન રોજ તેને ટોણા મારતા, ”કોણ જાણે કઇ ઘડીએ તને મંદાર માટે પસંદ કરી.

 

પહેલેથી ખબર હોત કે તુ છપ્પર પગી છે.તો તને હું મારા ઘરની પત્ની બનાવતી જ નહીં આવું રોજ વિસ્મયા ને કહેતી હતી.

અને એવું પણ કહેતા હતા કે જો અમને ખબર હોટ કે તું અમારા પુત્રને ભરખી જવાની છે તો કદી તને આ ઘરમાં લાવત જ નહીં. લગ્નના દોઢ વરસમાં જ મારા છોકરાને ભરખી ગઇ.

એક છોકરું હોત તો અમારો સમય પણ જાત. પરંતુ અમારા નસીબ જ તૂટેલા કે તારા જેવી વહુ મળી.” આ પ્રકારના મ્હોણા-ટોણાની વિસ્મયા આદી થઇ ગઇ હતી.

એવામાં એક દિવસ સાસુ-સસરાની વાત સાંભળી તેના પગ તળેથી ધરતી જ સરકી ગઇ આ પછી મંદાર ની માતા એ વિસ્મયા પર કેસ કર્યો, ”રીટા, વકીલ સાથે મેં વાત કરી છે.

મંદાર પછી કાયદેસર વિસ્મયા તેની મિલ્કત અને કારોબારની વારસ છે. તેને સંતાન  ન હોવાથી કાનુની રીતે તેને વારસામાંથી દૂર કરવાનો એક જ માર્ગ છે.

અને એ માર્ગ છે તેના બીજા લગ્ન કરવાનો. હવે વિસ્મયાના બીજા લગ્ન કરીએ તો જ ટાઢે પાણીએ ખસ જશે.અને સમાજમાં આપણું નામ પણ વધશે.”આમ કહીને વિસ્મયા ને હેરાન કરતા હતાં, અને વિસ્મયા ને બીજા લગ્ન કરવા માટે દબાણ કરતા હતા.

આ બધું સાંભળીને વિસ્મયા ખુબજ નિરાશ થઈ ગઈ હતી અને આ સાંભળી વિસ્મયા ગભરાઇ ગઇ. બીજે દિવસે તેણે પોતાને પિયર જતા રહેવાનો સૂઝાવ મનોહર ભાઇ સમક્ષ મૂક્યો. પરંતુ તેઓ આ માટે તૈયાર થયા નહીં. અને આમ પણ પિયરમાં વિસ્મયાને કોઇ સંઘરે તેમ નહોતું.

તેની બીમાર માતા તેના ભાઇ-ભાભીને સહારે હતી અને ઘરમાં ભાભીનું રાજ હતું. અને ભાઇને ટચલી આંગળી પર નચાવતી ભાભીને તેની એકની એક નણંદ આંખમાં કણાની જેમ ખૂંચતી હતી.

આમ વિસ્મયા જીદ કરીને પણ પિયર જઇ શકે તેમ નહોતી. આથી તેની પાસે સાસુ-સસરાને આશરે પડી રહેવા સિવાય છૂટકો જ નહોતો.

વિસ્મયા ક્યાંય પણ જઇ શકે તેમ નહતી,બન્ને બાજુ ફસાઈ ગઈ હતી,તેને ફક્ત સાસુ-સસરાને આશરે પડી રહેવા સિવાય છૂટકો જ નહતો.

આવી પરિસ્થિતિમાં વિસ્મયા પર લગ્નનું દબાણ વધતું ગયું. વિસ્મયાની ના સાંભળીને તેના સાસુ-સસરા તેને વધુ ત્રાસ આપવા માંડયા.

છેવટે કોઇ ઉપાય ન રહેતા વિસ્મયાએ બીજા લગ્નની હા પાડી. અને એક સાદા સમારંભમાં સંજય સાથે તેના લગ્ન થઇ ગયા.અને એ તેની સાથે રહેવા લાગી.પરંતુ એ ખૂબ શરાબ પીતો હતો,લગ્નની પ્રથમ રાતથી જ સંજય પોતાની તુલના મંદાર સાથે કરતો.

રાતના શરાબના નશામાં તે હેવાનની જેમ વિસ્મયા પર તૂટી પડતો. ”બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું? જો કે હજુ હું આ બાબતે બિન અનુભવી છું.

તું અનુભવી છે એટલે મને શીખવાડજે.” એમ કહી તે વિસ્મયાની મજાક ઉડાવતો. આ સમયે વિસ્મયા પાસે તેના વાક્બાણો ઝીલવા સિવાય બીજો કોઇ ઉપાય જ નહોતો.

કારણ કે મંદાર ના સાસુ-સસરા પણ તેને ખૂબ જ હેરાન કરતા હતા.આ ઘરમાં પણ વિસ્મયા ની સાસુ તેને હેરાન કરતી હતી,સંજય સાથે તેની મમ્મી પણ તેને ટોણા મારવામાંથી ઊંચી આવતી નહોતી.

”પેલા ઘરમાં ભલે તું મહારાણી બનીને રહેતી હતી.પરંતુ અહીંયા તો ભારે કામ કરવું પડશે. અહીં તારી જો હુકમી ચાલશે નહીં.” એમ કહી તેની સાસુએ પ્રથમ દિવસથી જ વિસ્મયાને કામે વળગાવી દીધી હતી.એક શબ્દ બોલ્યા વિના વિસ્મયા મા-બેટાનો જુલમ સહન કરતી હતી.

અને તે કઈ પણ બોલ્યા વગર બધુજ કામ કરતી હતી.આ પછી લગ્નનો એક મહિનો તો જેમ તેમ પસાર થયો. લોકોની અજીબ-અજીબ નજરોનો સામનો કરીને વિસ્મયા પરેશાન રહેતી.

તે સામાન્ય રીતે જીવવાનો પ્રયાસ કરતી પરંતુ રોજને રોજ કોઇને કોઇ એવી ઘટના બનતી જે તેના અહમને ઠેસ પહોંચાડતી. વાત વાતમાં સંજય તેને તેનો ભૂતકાળ યાદ દેવડાવતો અને તેનું અપમાન કરતો હતો.

લોકો પણ તેને વિશે જાત જાતની વાતો કરતા હતા.આ બધું સાંભળીને વિસ્મયા ખુબજ હેરાન થઈ ગઈ હતી.અને તેની આંખો માંથી હંમેશા આશુઓ નીકળતા હતા.

વિસ્મયા બીજા લગ્ન કરીને લહુબજ પછતાતી હતી.પુનર્વિવાહ કરી તેણે કોઇ ગુનો કર્યો હોય એવું લોકોનું વર્તન તેને અકળાવી મૂકતું.

પુનર્લગ્ન પછી નારીની હાલત વિશે કોઇ કેમ વિચારતું નથી? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના ચક્રવ્યુહમાં એકવાર ફસાઇ ગયેલી નારી એમાંથી કેમ બહાર નીકળી શકતી નથી

એક નારી બીજી નારીની વ્યથા સમજવાને બદલે તેની દુશ્મન કેમ બની જાય છે? આ પ્રશ્નોના ઉત્તર તેને મળવા લાગ્યા હતા. આ બધાથી બચવા તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો.

અને તેને ઘર છોડીને નીકળી જવાનો વિચાર કર્યો.રાત્રે જ્યારેસંજય સુઈ ગયો અને બીજે દિવસે સંજય સવારે ઉઠયો ત્યારે તેને ઓરડામાં વિસ્મયા દેખાઇ નહીં.

પરંતુ પલંગ પાસેના ટેબલ પર તેને એક પત્ર મળ્યો.આ પત્રમાં તેને ઘણું બધું લખ્યું હતું.સંજય એ પત્ર વાંચ્યો તેમાં લખ્યું હતું.

સંજય મને લાગે છે કે પુનર્લગ્ન નારી માટે એક દુ:ખદ પાસું સાબિત થઇ શકે છે. આ પાછળનો વિચાર ભલે નેક હશે પરંતુ આ પછી.

સહારો એક ઉપકાર બની જાય ત્યારે નારીનું જીવન નરક સમાન બની જાય છે. ઘરમાં અને ઘર બહાર તેને અપમાન સહન કરવું પડે છે.

આવું જીવન જીવવા કરતા અલગ થઇ જવું યોગ્ય છે. હું  તારી જિંદગીમાંથી ખસી જાઉં છું. આ સાથે છૂટાછેડાના કાગળ મૂક્યા છે. તેમા મારી સહી છે. મને શોધવાનો પ્રયાસ કરતો નહીં. હું મારે પિયર જતી નથી.

આવું કહીને તે સંજય નું ઘર છોડીને ભાગી ગઈ.વિસ્મયા.પત્ર વાંચીને સંજય એનો તેને પસ્તાવો થયો. પરંતુ હવે પસ્તાવો કરવાનો કોઇ અર્થ નહોતો.

વિસ્મયા તેના જીવનમાંથી જતી રહી હતી,અને તેસંજય ના જીવનમાં પછી આવવા ઇચ્છતી ન હતી.તે એકલા પોતાનું જીવન પસાર કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker