દોસ્તો તમારા બધાનું દિલ થી સ્વાગત છે,આજે અમે એક ખૂબ મહત્વપૂર્ણ ટોપિક વિશ સમજાવવાના છે. કેમ કે આજે ચિંતા મતલબ સ્ટ્રેસ ના કારણે રોજ 1000 થી વધારે આત્મહત્યા અમારા ભારત માં થાય છે, જો ભારત માં એક હજારે થી વધારે હોય તો આખા વિશ્વમાં કેટલા હશે.
આજે આપણી લાઇફસ્ટાઇલ મતલબ જીવનશૈલી ખૂબ ખરાબ થઈ ગઈ છે, સવારથી સાંજ સુધી કામ કામ અને કામ આમ મગજ ની શક્તિ ઓછી થઈ જાય છે અને માણસ ચિંતા નો શિકાર બને છે.
મિત્રો ચિંતા અમારી બોડી માટે ખૂબ હાનિકારક છે કેમ ચિંતાથી જીવન જીવવાની શક્તિ ઓછી થઈ જાય છે. અને માણસ જીવન જીવાની આશા છોડી દે છે
દોસ્તો માટે આપણે ચિંતા નય પણ ચિંતન કરવું જોઇએ કેમ કે ચિંતા કરવાની સમસ્યાનું સમાધાન નથી થતું. પણ મુશ્કેલી મોટી લાગવા લાગે છે. ચિંતન કરો ચિંતા નય તો હવે વિગત વાર જાણીશું કે ચિંતા ના કારણે થતું નુકસાન અને બીમારી.
ચિંતા ના કારણે થતું નુકસાન અને બીમારી
- ચિંતા ના કારણે શરીરમાં મોટોપો વધે છે.
- મધુમેહ(ડાયાબિટી) મુખ્ય કારણ તનાવ છે કેમ કે ચીંતા ના કારણે લોહીમાં સુગર નું લેવલ વધી જાય છે.
- ચિંતા ના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા 90%વધી જાય છે.
- ચિંતા ના કારણે લોહીનું પ્રમાણ વધી જાય છે અને હૃદય ના ધબકાર પણ વધી જાય છે આને હાઈ બ્લર્ડપેસર કહે છે.
- ચિંતા ના કારણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વિક થઈ જાય છે.જેના કારણે આપણે શરદી અને તાવ આવે છે.
- મિત્રો ચિંતા કરવાથી આપણી કિડની અને લીવર વિક પડી જાય છે.
- મિત્રો તણાવ ના લીધે આપણાં શરીર માં અલ્સર હોઈ છે અને પાચન શક્તિ નબળી પડી જાય છે.
- તમે અનુભવ કર્યો હશે કે જ્યારે તમે તણાવ માં હોવ છો તો માથું દુખે છે.
- અનિંદ્રા એ એક ગંભીર બીમારી છે જે તણાવ ના કારણે જન્મે છે કેમ કે જ્યારે વ્યક્તિ તણાવ માં હોઈ છે ત્યારે બ્રેઇન નું સ્લીપ ફંકશન સારી રીતે કામ નથી કરતું.
- લો એનર્જી મતલબ ઉર્જા ની કમી મહેસુસ થાય છે.
તણાવને કારણે થવાની બીમારી વિશે આપણે ચર્ચા કરી હવે અમે તમને તણાવ ઓછો કરવાની ટિપ્સ જણાવીશું કેમ કે મિત્રો જ્યારે દબાવ વધે છે ત્યારે પ્રભાવ ઓછો થઈ જાય છે એટલા માટે તમારે હંમેશા તણાવ મુક્ત રહેવું જોઈએ
ચિંતા મુક્ત જીવન જીવવાના 10 સરળ ઉપાય
ભવિષ્ય ની ચિંતા ના કરો
મિત્રો આ મારો વ્યક્તિગત અનુભવ છે કે તમારે ભવિષ્ય ની ચિંતા ના કરવી જોઈએ કેમ કે આવું કરવાથી તમારા વિચાર જો નેગીટિવ સાઈડ બાજુ હોય તો ચિંતા નું લેવલ ખૂબ વધી જાય છે.
નેગીટિવ થોટ્સ જેમ કે મારુ ભવિષ્ય માં શું થશે? મને જોબ મળશે કે નય? મારા મેરેજ થશે કે નય?જો મને કંઈ બીમારી થશે તો હું શું કરીશ? મારી ફેમિલી નું શું થશે? જો હું મૃત્યુ પામીશ તો શું થશે.
મારા મિત્રો આવા હજારો નેગીટિવ થોટ્સ આપણા દિમાગ માં ચાલતા હોય છે જેના કારણે આપણે વધારે તણાવ અનુભવીએ છીએ.
એટલા માટે તમે ભવિષ્ય ની ચિંતા ના કરો અને પોતાના વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો કેમ કે તમારું વર્તમાન જ તમારું ભવિષ્ય કેવું હશે તે નક્કી કરે છે.
અસફળતા નો ડર
જો હું અસફળ થઈ ગયો તો શું થશે આ એક વિચાર માણસ ની ઊંઘ ઉડાવી દે છે, શું તમને કોઈ દિવસ અસફળતા ડર નો અનુભવ થયો છે? જો થયો હોય તો આજથી ડર ઉપર વિજય પ્રાપ્ત કરો કેમ કે આ ડર તમને જીવન માં સફળ નઈ થવા દે.
જ્યારે અસફળ થવાનો ડર વધી જાય છે ત્યારે ચિંતા થવા લાગે છે અને દબાવ વધે છે અને જ્યારે દબાવ વધે છે ત્યારે કામ કરવા નો પ્રભાવ ઓછો થઈ જાય છે.
તમારે જો સફળ માણસ બનવું હોય તો ચિંતા મુક્ત જીવન જીવવું પડશે અને અસફળતા નો ડર તમારા મગજ માંથી કાઢી નાંખો.
રોજ મૈડિટેશન (ધ્યાન) કરો
જો તમારે ચિંતા મુક્ત જીવન જીવવું છે તો દરરોજ મૈડિટેશન કરવું જોઇએ કેમ કે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમારું મન શાંત થઈ જાય છે તમારા વિચાર પોઝીટીવ થવા લાગે છે.
તમારે રોજ સવારે ધ્યાન કરવું જોઇએ અને સાથે ૐ નો ઉચ્ચાર પણ કરવો જોઈએ કેમ કે આમ કરવાથી 15 મિનિટ માં ચિંતા મુક્ત મહેસુસ કરશે.
તમારે સવારે સારી જગ્યા પર દયાન કરવું જોઈએ અને તમારે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ ધ્યાન કરવાનો સારો ઉપાય છે.
પ્રતિ દિવસ 30 મિનિટ યોગ કરો
મિત્રો તમારા માટે સૌથી સારી ટિપ્સ આ છે કે પ્રતિ દિવસ 30 મિનિટ યોગ કરો કેમ કે યોગ કરવાથી તમારા શરીરમાં પેઈન મતલબ દર્દ થાય છે અને આપણું મગજ એ દર્દ ને ઓછો કરવા માટે ડોપામાઇન નામનું એક કેમિકલ રિલીઝ કરે છે.
જ્યારે મગજ માં ડોપામાઇન રિલીઝ થાય છે ત્યારે આપણે ખુશી નો અનુભવ થાય છે અને આપણે ચિંતા મુક્ત નો અનુભવીએ છીએ.
મિત્રો રોજ વ્યાયામ કરવાથી આપણી બોડી વધારે માત્ર માં ઓક્સિજન પ્રવેશ કરે છે જેના કારણે શરીરમાં રક્ત નું પ્રવાહ સંતુલિત રહે છે અને આપણી બોડી રોગમુક્ત થાય છે, સાથે જ તમારો લુક ખૂબ સારો દેખાવા લાગે છે વ્યાયામ કરવાથી.
પૂરતી ઊંઘ લેવી જોઈએ
મિત્રો તણાવ દૂર કરવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે કેમ કે તમે ઓછી ઊંઘ લો છો ત્યારે એ તણાવ નું કારણ બનતું હોય છે.
ઊંઘ લેવાથી આપણી બોડી પછી થી ચાર્જ થઈ જાય છે
એક વ્યક્તિ એ ઓછામાં ઓછા 6 કલાક ઊંઘ લેવી જોઇએ એવું વિજ્ઞાન ને સાબિત કર્યું છે જો તમે ખૂબ ઓછી ઊંઘ લો છો તો થોડો વધારે સમય ઊંઘ માટે કાઢો.
મનપસંદ રમત રમો
મિત્રો તણાવ ઓછો કરવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે, જો તમને કોઈ રમત ખૂબ ગમે છે એ રોજ જરૂર રમો જેમ કે ક્રિકેટ, ફૂટબોલ વગેરે વગેરે રમવાથી આપણું મન ખુશ રહે છે અને શરીર સ્વસ્થ રહે છે, જ્યારે તમે રમો છો ત્યારે તમારું મન રમત માં વ્યસ્ત રહે છે અને નકારાત્મક વિચાર થી તમારું મન દૂર રહે છે તો સ્વભાવીક છે કે તમે ચિંતા મુક્ત રહેશો.
હાસ્ય યોગ
મિત્રો હસવું એ દુનિયા માં સૌથી સારી અને સસ્તી દવા છે. કેમ કે હસવા થી ખૂબ અદ્ભુત લાભ થાય છે એ કદાચ તમને ખબર નઈ હોય.
હાસ્ય યોગ માં તમારે ખૂબ જોર જોરથી હસવાનું હોઈ છે. એવી રીતે જેમ કે કોઈ ફિલ્મમાં વિલન હશે છે કેમ કે આવું કરવાથી બોડી માં કેમિકલ ફ્લો થવાનું ચાલુ થાય છે અને આ સારું ફિલ કરાવે છે.
તમે કોઈ કોમેડી સો માં પણ જોઈ શકો છો જેમ કે ધ કપિલ શર્મા સો એ એક ખૂબ શાનદાર કોમેડી સો છે તો એવું કરવાથી પણ તમે હસી શકો છો.
સવાર માં જલ્દી ઉઠવું
મિત્રો જેને સવાર ને જીતી લીધું તો એ આખો દિવસ જીતી લે છે એવું તમે સાંભળ્યું હશે કેમ કે સવાર નો સમય આખા દિવસ નો સારો સમય છે. સવારે જો તમે જલ્દી ઉઠો છો તો તમારો આખો દિવસ સારો રહે છે કેમ કે સવાર સવાર માં એક્સેસાઈસ કે યોગ કરવાનો સમય તમારી પાસે રહે છે અને લેટ ઉઠસો તો જલ્દી જલ્દી માં તમારે સવાર નો નાસ્તો પણ નહીં પણ નહીં કરી શકો.
મ્યૂઝિક સાંભળવું
જો તમે ખૂબ ચિંતા માં હોવ ત્યારે આ પ્રયોગ જરૂર કરો, તમારે શું કરવાનું કે જયારે તમને લાગે કે મને ચિંતા થાય છે ત્યારે તમે તમારું મનપસંદ મ્યૂઝિક સાંભળો કેમ કે કેમ્યૂઝિક સાંભળવાથી આપણામાં ઉત્સાહ જાગે છે અને ચિંતા ઓછી થઈ જાય છે.
પ્રાથના કરવી
જ્યારે બધા રસ્તા કામ કરવા નું બંધ કરી દે છે ત્યારે આ કામ કરો કેમ કે જ્યારે તમે પ્રાથના કરો છો ત્યારે ભગવાન સાથે જોડાય જાવ છો જયારે તમને લાગે કે હવે કોઈ ઉમ્મીદ નથી કોઈ આશા નથી ત્યારે ઈશ્વર ને પ્રાર્થના કરો, ઈશ્વર ના નામના જાપ કરો કેમ કે આ સૌથી સારો ઉપાય છે ચિંતામુક્ત જીવન જીવવા માટે.
પોતાના માં વિશ્વાસ રાખો અને ભગવાન પર શ્રધ્ધા રાખો કેમ કે જેનું કોઈ નથી આ દુનિયામાં એનો ભગવાન હોય છે.
મને આશા છે કે તમને મારી આ પોસ્ટ પસંદ આવી હશે.