ભાગદોડ ભરેલી આ જિંદગીમાં દરેક લોકો અમુક સમયે નિરાશ થઈ જાય છે, ત્યારે આવા સમયે કયી રીતે ખબર પડે ? શુ હોઈ છે આના લક્ષણો ? કેમની ખબર પડે કે માણસ અંદરથી તૂટી ગયો છે ? આજે આવા જ એક વિષય ઉપર જ વાત કરીશું પરંતુ આ વિષયને ખુબજ ધ્યાન દઈને વાંચજો..લક્ષણો દેખાય તો સમજો તમે અંદરથી તૂટી ગયા છો, તમને કોઈની મદદની જરૂર છે.
નિરાશ અને પરેશાન.
તમે નિરાશ કે ચિંતામાં હોવ તો તેની અસર સીધી જ તમારા માનસિક સંતુલન પર પડે છે. ન તો ક્યાંય મન લાગે છે, ન તો આપણે એકલામાં ખુશ રહી શકીએ છીએ. આપણું મન આપણા કંટ્રોલમાં નથી હોતુ એટલે કંઈને કંઈ ગરબડ ચોક્કસ થાય છે. એવામાં અમુક લક્ષણ સીધું દર્શાવે છે કે આપણે તકલીફમાં છીએ. આપણું શરીર પણ આપણીઉદાસીના સંકેત આપવા માંડે છે. જાણો આ કયા સંકેતો છે.
નાની નાની વાતે ગુસ્સો આવવો.
જો તમે લાંબો સમય સુધી ઉદાસ રહેતા હોવ તો તમે જીવનમાં કોઈની દખલ સહન નથી કરી શકતા. ન તો તમે નવી ચીજો પર ધ્યાન લગાવવા માટે પોતાની જાતને તૈયાર કરી શકો છો, ન તો તમારામાં કોઈની સમસ્યા સાંભળવાની ધીરજ હોય છે. બસ તમે તમારી જાતમાં જ ખોવાયેલા હો છો. કોઈ વ્યક્તિ તમને કંઈ કહે કે કોઈ કામ ચીંધે તો તમે ચીડાઈ જાવ છો, તમને ક્રોધ આવી જાય છે. તમે તમારી ઉદાસીના કારણને નેસ્તનાબૂદ નથી કરી શકતા એટલે ક્રોધના માધ્યમથી પોતાની જાતને હળવી કરવાની કોશિશ કરો છો.
થાકેલા રહેવું.
તમે વધારે કામ ન કરો તો પણ તમને હંમેશા થાકનો અહેસાસ થાય છે. તમે ડાયેટનું ધ્યાન રાખો છો, કસરત કરો છો છતાંય થાકથી છૂટકારો નથી મળતો. આ થાક તમારી ઉદાસી દર્શાવે છે.
ધીમા અવાજે બોલવું.
જો કોઈ એવા મુદ્દે વાત થઈ રહી હોય જેમાં તમને જરાય રસ ન હોય તો તમે વાત કરવાનું પસંદ નથી કરતા. પરંતુ જો બોલવું જ પડે તો ધીમા અવાજે અટક્યા વિના તમે ફટાફટ પોતાની વાત પૂરી કરી દો છો. એવું લાગે છે કે જાણે કોઈની સાથે વાત કરવા માટે તમારે તમારી જાતને મનાવવી પડી રહી છે.
કરોડરજ્જુમાં દુઃખાવો.
જ્યારે તમે દુઃખી હોવ છો, તેની સૌથી વધુ અસર તમારા કરોડરજ્જુના હાડકા પર પડે છે. પરેશાની, ઉદાસી, ચિંતા અને સ્ટ્રેસ તમારી કરોડરજ્જુને ઝપેટમાં લે છે. તમને તેના પર હંમેશા એક પ્રકારના ભારનો અહેસાસ થયા કરે છે. કરોડરજ્જુમાં થતો સતત દુઃખાવો એક લક્ષણ છે કે તમે ખૂબ જ ઉદાસ છો.
ઊંઘવામાં મુશ્કેલી.
તમે જ્યારે ઉદાસીથી છૂટકારો મેળવવાની કોશિશ કરતા હોવ ત્યારે આરામ કરવો જરૂરી છે. તમને પૂરતી અને સારી ઊંઘની જરૂર છએ જેથી તમે સ્ટ્રેસ સામે લડવાની હિંમત મેળવી શકો. પરંતુ તમને ઊંઘની વધુ જરૂર હોય ત્યારે જ ઊંઘ નથી આવતી. તમને ઓછી અને ખોટા સમયે ઊંઘ આવવા માંડે છે જેને કારણે તમે માનસિક રૂપે ક્યારેય ફ્રેશ નથી ફીલ કરતા અનેતમારામાં તણાવ સામે લડવાની હિંમત પણ નથી બચતી.
હંમેશા માથાનો દુઃખાવો રહેવો.
હંમેશા રહેતો માથાનો દુઃખાવો અને વાળનું ખરવું એ સૂચવે છે કે તમે ખૂબ જ ચિંતાતુર અને ઉદાસ છો. તમે તમારી જાત પર ભાર મહેસૂસ કરો છો. તમને લાગે છે કે કોઈ તમારી તકલીફ નહિ સમજી શકે.
પગ ઢસડીને ચાલવુ.
જ્યારે તમારા મગજ પર નકારાત્મક વિચાર હાવી થઈ જાય ત્યારે ન તો તમે ઝડપથી ચાલી શકો છો ન તો તમારી ચાલ સામાન્ય રહી શકે છે. તમે પગ ઘસડીને ચાલવાનું શરૂ કરી દો છો. આ લક્ષણો દેખાય તો તરત જ કોઈ એવા વ્યક્તિની મદદ લો જેના પર તમને ખૂબ જ વિશ્વાસ છે.