તિરૂપતિ મંદિરના દાન પર નથી પડી કોરોનાની કોઈ અસર, માત્ર એક દિવસમાં લોકોએ કર્યું આટલા કરોડનું દાન

તિરૂપતિ બાલાજી મંદિરને એક જ દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તિરુમાલા તિરૂપતિ દેવસ્થનમ (ટીટીડી) દ્વારા આપવામાં આવી છે. તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમે જણાવ્યું હતું કે ગત શનિવારે એક જ દિવસે મંદિરને 1 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે. આ નાણાં હુન્ડીમાં દાન કરવામાં આવ્યા છે. રવિવારે ટીટીટીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે શનિવારે 13,486 શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને તેમના દાનની ગણતરી કરવામાં આવી હતી.

11 જૂને આ મંદિર ખોલવામાં આવ્યું હતું

મંદિર કોરોના વાયરસના કારણે ઘણા મહિનાઓથી બંધ હતું. તે જ સમયે, આ મંદિર દેશમાં અનલૉક પ્રક્રિયાના ભાગ રૂપે ખોલવામાં આવ્યું છે. લોકડાઉન પછી મંદિર ખોલતાં પહેલા દિવસે 25 લાખ રૂપિયાથી વધુનું દાન કરવામાં આવ્યું હતું. જો કે, મંદિરના ખોલ્યા પછી તરત જ અહીં કામ કરતા લોકોને કોરોના વાયરસ થયો હતો. જેના કારણે મંદિર ફરીથી થોડા સમય માટે બંધ કરાયું હતું.

નોંધપાત્ર વાત એ છે કે, તિરૂપતિ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. દર વર્ષે, લાખો લોકો આ મંદિરમાં આવે છે અને દાન આપે છે. લોકો દાનમાં પૈસા ઉપરાંત સોના, ચાંદી અને અન્ય વસ્તુઓ પણ ભગવાનને આપે છે. એક અનુમાન મુજબ આ મંદિરમાં એક મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનું દાન કરવામાં આવે છે. જો કે, 20 માર્ચે લોકડાઉન થયા બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું પરંતુ એકવાર મંદિર ખુલ્યા પછી, લોકોએ ફરી એકવખત દાન આપવાનું શરૂ કર્યું છે.

ભગવાન વિષ્ણુનું છે મંદિર

તિરૂપતિ બાલાજી મંદિરમાં ભગવાન વિષ્ણુના તિરૂપતિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ભવ્ય રીતે લગ્ન કરવા માટે ઉધાર પૈસા લીધા હતા અને લોકો આ લોન ચુકવવા માટે અહીં દાન આપે છે. જેથી વિષ્ણુજી આ દેવાથી મુકત થઇ શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top