ટીવીના મોસ્ટ પોપ્યુલર શોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છે. એક દાયકા કરતા વધુ સમયથી શો ચાહકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે અને તેના પાત્રો ચાહકો દિલમાં અલગ જ ધરાવે છે. તેમ છતાં સમય પસાર થતા શો કંટાળાજનક બની ગયો હોવાનું કેટલાક ચાહકો જણાવી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢા દ્વારા શો લોકોને હવે કેમ કંટાળાજનક લાગી રહ્યો છે તેના પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે.
એક નામી ચેનલથી વાતચીત દરમિયાન શૈલેષ લોઢા દ્વારા કહેવામાં આવ્યું છે “તે કંટાળા વિશે નથી પરંતુ માનવ વર્તન વિશે રહેલ છે. વિચાર પ્રક્રિયા સમય સાથે વિકસિત થાય છે. જેના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા શો માટે કે જે 12 વર્ષ કરતા વધુ સમયથી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, તે સામાન્ય છે કે એક જ દર્શક સમય જતા પાત્રો અને કન્ટેન્ટને અલગ રીતે જોવા ઈચ્છે છે.”
તેની સાથે વધુમાં શૈલેષ લોઢા દ્વારા સીરિયલના રેટિંગ વિશે પણ વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘અભિનેતા અને તેમના પાત્રો સરખા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોટાભાગે ટીઆરપી ચાર્ટમાં ટોપ-5 પર હોય છે, જે દર્શાવે છે કે દર્શકો હજી પણ અમારી સાથે રહેલા છે’
શૈલેષ લોઢાની વાત કરવામાં આવે તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત થઈ ત્યારથી તે શો સાથે જોડાયેલા છે. તેઓ લેખક તારક મહેતાનું પાત્ર ભજવે છે. જે જેઠાલાલના પરમ મિત્ર અને ફાયરબ્રિગે઼ડ પણ રહેલા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ 12 વર્ષની આ સફરમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. ખાસ કરીને કોરોના બાદ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ રહ્યું હતું ત્યાર બાદ મહામારીની બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાતા દમણના રિસોર્ટમાં સેટ ગોઠવવામાં આવ્યો હતો. આ અગાઉ અંજલી ભાભીનું પાત્ર ભજવી રહેલી નેહા મહેતા અને રોશનનું પાત્ર ભજવી રહેલો ગુરુચરણ સિંહ શો છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ સુનૈના ફોજદાર અને બાલવિંદર સિંહ દ્વારા તેમને રિપ્લેસ કરવામાં આવ્યા હતા.