ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 180 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. જોકે ગતરોજ કરતા આજે કોરોનાના કેસો વઘુ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જેથી હવે અમદાવાદીઓએ સાવચેત થઇ જવુ જોઇએ.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 નવા કેસ નોંધાયા છે. જોકે આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં એક મૃત્યુ પણ નોંધાયું હતું. 24 કલાક દરમિયાન 112 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 991 એક્ટિવ કેસ છે, આ બધા દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,946 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.છે
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 94 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 18 નવા કેસ નોંધાયા છે.સુરતમાં 20, ગાંઘીનગર 10, કરછ, વલસાડ, જામનગર,ખેડા, મોરબીમાં 4 પોઝિટિવ કેસો નોંધાયા હતા.. અમદાવાદમાં 1 પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું..