પશ્ચિમ બંગાળમાં ફરી બબાલ: વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનના કાફલા પર હુમલો, વીડિયો આવ્યો સામે

પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભાની ચૂંટણી ભલે પૂરી થઇ ગઈ હોય, પરંતુ હિંસા રુકવાનું નામ લઈ રહી નથી. પશ્ચિમ બંગાળથી હિંસાને લઈને એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

હવે બંગાળના પશ્ચિમ મિદનાપુર (Midnapur) માં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન (V Murleedharan) ની કાર પર સ્થાનિકો લોકોએ હુમલો કર્યો છે. આ માહિતી ખુદ મુરલીધરને હુમલાનો વિડીયો ટ્વીટ કરી આપી છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. જયારે ટીએમસીનું કહેવું છે કે આ ભાજપના અંદરો અંદર દુશ્મનાવટનું પરિણામ છે.

https://twitter.com/VMBJP/status/1390209778798923778?s=20

આ છે સમગ્ર મામલો

કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા વી મુરલીધરન તેમના કાર્યકરોને ઉત્સાહીત (ખુશ) કરવા બંગાળ જઈ રહ્યા હતા. તે ભાજપના કાર્યકરને મળવા તેમના ઘરે જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં લાકડીઓ વડે તેમના કાફલા પર હુમલો થયો હતો. આ દરમિયાન તેમની ગાડીઓના કાચ તૂટી ગયા હતા.

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. તેને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે- ‘પશ્ચિમ મિદિનાપુરની યાત્રા દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો, ગાડીના કાચ તોડી નાંખ્યા હતા, મારા પર્સનલ સ્ટાફ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, મારે મારો પ્રવાસ વચ્ચેથી જ છોડીને પાછું આવું પડી રહ્યું છે.’

કહેવામાં આવી રહ્યું છે કે તેમની પર કેજીટી ગ્રામીણ વિધાનસભાના પંચખુડીમાં હુમલો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બંગાળમાં ચૂંટણી પૂરી થયા બાદ પણ સતત હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે.

ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા બાદ ત્યાંની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અતિરિક્ત સચિવ સ્તરના અધિકારી ના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય દ્વારા નિમણૂક 4 સભ્યોની ટીમ ગુરુવારે જ કોલકાતા પહોંચી હતી.

જયારે એક દિવસ પહેલા મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી કહ્યું કે બંગાળમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હિંસક ઘટનાઓને લઈને જે પણ જવાબદાર હશે,તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Scroll to Top