IndiaUttar Pradesh

ભાજપના આ બાહુબલી નેતાએ કહ્યું- ‘રાજ ઠાકરે કોઇ દિવસ મળી જાય તો બતાવી દઉ કે…’

MNS પ્રમુખ રાજ ઠાકરેએ તેમનો અયોધ્યા પ્રવાસ રદ્દ કર્યો છે. આ પ્રવાસ રદ કરવા અંગે ઠાકરેએ કહ્યું છે કે તેમને ટ્રેપ વિશે ખબર પડી છે, સાથે જ તેમની તબિયત પણ સારી નથી. જો કે, આ પ્રવાસ રદ્દ કરવામાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે, જેઓ સતત રાજ ઠાકરેની માફીની માંગ કરી રહ્યા હતા. રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાત રદ થયા બાદ પણ ભાજપના સાંસદો ચૂપ નથી, તેઓએ કહ્યું કે ઠાકરે કોઈ દિવસ મળશે તો ચોક્કસ સામસામે બે હાથ જરૂરથી કરીશું.

બીજેપી સાંસદ એક કાર્યક્રમને સંબોધવા દેવરિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ ઠાકરે વિશે કહ્યું કે, તેઓ 2008થી તેમને શોધી રહ્યા છે. જો તે કોઈ દિવસ એરપોર્ટ પર મળી જશે તો ચોક્કસ સામસામે બે હાથ કરશે.

બીજેપી સાંસદે કહ્યું કે હવે રાજ ઠાકરેનું દિલ બદલાઈ ગયું છે અને તેઓ અયોધ્યા આવવા ઈચ્છે છે. પરંતુ જ્યાં સુધી તેઓ ઉત્તર ભારતીયો સામેના તેમના આંદોલન માટે માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ તેમને અયોધ્યામાં પગ મુકવા દેશે નહીં. તેમણે કહ્યું- અમે બધા રામના વંશજ છીએ અને તેઓએ તેમનું અપમાન કર્યું છે, મારવાનું કામ કર્યું છે. તેથી માફી માગો તો જ આપણે આવી શકે છે.

બ્રિજભૂષણ શરણ સિંહે વધુમાં કહ્યું કે રાજ ઠાકરે ઉત્તર ભારતના રાજ્યમાં જ્યાં પણ જશે ત્યાં તેમનો વિરોધ થશે. માફી માંગ્યા વિના, તે ક્યાંય પ્રવેશી શક્શે નહીં.

તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા, તેની જાહેરાત તેમણે જ કરી હતી. તેમની જાહેરાત બાદથી જ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ સતત વિરોધ કરી રહ્યા હતા. ભાજપના સાંસદની માંગ હતી કે રાજ ઠાકરે માફી માંગે અને પછી અયોધ્યા આવે. આ વિવાદો વચ્ચે રાજ ઠાકરેએ બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ અયોધ્યા નહીં જાય. રાજ ઠાકરેએ આ માટે બે કારણો આપ્યા છે. તેમણે કહ્યું કે તેમને ખબર પડી છે કે અયોધ્યામાં એક છટકું ગોઠવવામાં આવ્યું છે, જેમાં તેમના કાર્યકરો ફસાઈ શકે છે અને તેઓ જેલ પણ જઈ શકે છે. બીજું, તેમની તબિયત સારી નથી, ડૉક્ટરે લાંબી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker