સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર મત ગણતરીમાં છેડછાડનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે વારાણસીમાં ઈવીએમ પકડાયા છે. આ અંગે તેમણે કહ્યું કે પરિણામ પહેલા ચોરીનું ષડયંત્ર છે. અખિલેશ યાદવના આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન સામે આવ્યું છે. કેશવ મૌર્યએ કહ્યું છે કે તેમના આરોપો પાયાવિહોણા છે. અખિલેશ યાદવ હતાશ છે. તેમના સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને યુપીના કાયદા મંત્રી બ્રજેશ પાઠકનું નિવેદન પણ સામે આવ્યું છે.
અખિલેશ યાદવે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, ‘મુખ્યમંત્રીના સૌથી મોટા અધિકારી, મુખ્ય સચિવના જગ્યાએ-જગ્યાએ ફોન જઈ રહયા છે કે જ્યાં ભાજપ હારે ત્યાં-ત્યાં મત ગણતરી ધીમી કરો. આ સાથે તેમણે કહ્યું કે, ‘આજે બનારસમાં EVM લઈને જતી એક ટ્રક પકડાઈ ગઈ, બે ટ્રક લઈને ભાગી ગયા.’
અખિલેશ યાદવના આ આરોપોનો જવાબ આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘મતદાન દરમિયાન જ અખિલેશ યાદવ સમજી ગયા હતા કે લોકો સપા પ્રત્યે ગંભીર નથી. તેમની પ્રથમ યાદીમાં જેલ-બેલવાળા વધુ લોકો હતા. 10 માર્ચે અખિલેશજી કહેશે EVM બેવફા છે, તેમણે તેની રાહ પણ ન જોઈ. તેમણે આ વાત 8 માર્ચે જ કહી દીધી.’
અખિલેશ યાદવના નિવેદન પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ‘અખિલેશ યાદવનું નિવેદન વાતાવરણને બગાડવાનો પ્રયાસ છે. તે કોઈ અધિકારી અને કમિશન પર આરોપ લગાવવું શોભા નથી આપતું. પારિવારિક રાજનીતિ કરી રહેલા અખિલેશ યાદવ, ભાજપ લોકશાહીની રક્ષક છે, તે પરિવારવાદથી બચાવવાની રક્ષક છે.’ તેમણે કહ્યું કે તમે (અખિલેશ યાદવે) તમારા ગુસ્સા અને ગભરાટમાં આ નિવેદન આપ્યું છે.
બ્રજેશ પાઠકે કહ્યું કે, ‘હું સમાજવાદી પાર્ટી પર કોઈ નિવેદન આપવા માંગતો નથી, તેમના તરફથી આવા નિવેદનો આવતા રહે છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. 10 માર્ચે ભાજપ સત્તા પર કબજો કરવા જઈ રહી છે, 300 સીટોને પાર કરશે. જનતાએ તેમનો ઉપદ્રવ જોયો અને નકારી કાઢી છે.’