ઉત્તરાખંડના કેદારનાથ પાસે બરફનો પહાડ પડી જવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પર્વત સરકવાને કારણે કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે આજે સવારે હિમાલય વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો, પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી.
કેદારનાથ મંદિર પાસે બરફનો પહાડ સરકતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોત જોતામાં બરફનો પહાડ સંપૂર્ણ રીતે ધરાશાયી થતો જોવા મળે છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
#WATCH | Uttarakhand: An avalanche occurred this morning in the Himalayan region but no damage was sustained to the Kedarnath temple: Shri Badrinath-Kedarnath Temple Committee President, Ajendra Ajay pic.twitter.com/fyi2WofTqZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2022
છેલ્લા દિવસોમાં ભૂસ્ખલન થયું હતું
જણાવી દઈએ કે કેદાર ઘાટીમાં વરસાદ હજી પણ ચાલુ છે. 21 સપ્ટેમ્બરે કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. જોકે, સદ્દનસીબે ત્યાંથી પસાર થતા વાહનો ડુંગરના કાટમાળ નીચે આવ્યા ન હતા. વરસાદના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ રહી છે. બુધવારે સાંજે કેદારનાથ હાઇવે પર ફાટા પાસે પહાડી પરથી એક મોટો ભૂસ્ખલન થયો હતો. ટેકરી પરથી હાઇવે પર કેટલાય ટન કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. ડુંગર પરથી પડતો કાટમાળ જોઈને વાહનોના ચાલકો થંભી ગયા હતા. પેસેન્જર બસને થોડું નુકસાન થયું હતું. વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કલાકો સુધી મુસાફરોને જામમાં અટવાવું પડ્યું હતું. છેલ્લા દિવસોથી અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.