ઉત્તરાખંડના ગંગાજળથી થશે દેશના 12 જ્યોતિર્લિંગ ની પૂજા, જાણો કેવી રીતે મોકલવામાં આવશે પવિત્ર જળ

ઉત્તરાખંડથી ગંગાજળ ને માટી ના વાસણો માં પેક કરવામાં આવશે અને દેશના 12 જ્યોતિર્લિંગતેમજ અન્ય ધાર્મિક સ્થળોએ મોકલવામાં આવશે. આ માટે પ્રાદેશિક સહકારી સંઘ (પીસીયુ)એ તેની તમામ તૈયારીઓ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30 ઓક્ટોબરે દહેરાદૂનમાં ‘ગંગાજલ’ કાર્યક્રમનો શુભારંભ કરશે. પીસીયુના અધ્યક્ષ રામ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલમાં ગંગાજળના લગભગ 2 લાખ પેકિંગ તૈયાર કરવામાં આવ્યા છે.

ઓર્ડર મળતાં જ ફરી ગંગાજળ નું પેકિંગ કરાવવામાં આવશે. મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલમાં ગંગા જળ પેકિંગનું 300 મિલી તૈયાર કરવામાં આવ્યું છે. તેની કિંમત રૂ.150 રાખવામાં આવી છે. ભવિષ્યમાં માંગ મુજબ પેકિંગ કરવામાં આવશે. મેહરોત્રાએ જણાવ્યું હતું કે ગંગાજળમાંથી થતી આવક સહકારી મંડળીઓના ક્ષેત્રમાં ખર્ચ કરવામાં આવશે.

સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્રપ્રદેશ

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ 

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ 

કેદારનાથ જ્યોતિર્લિંગ, ઉત્તરાખંડ

ભીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર

વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગા, મહારાષ્ટ્ર

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ

નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત

રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુ

ગ્રુષ્નેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર

OLYMPUS DIGITAL CAMERA
Scroll to Top