NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં થયો વધારો, હવે તેમની સામે જ લાંચ લેવાના આરોપ કરાશે તપાસ

ડ્રગ્સ પાર્ટી કેસમાં સોમવારના કોર્ટમાં બે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. તેના પર સેશન કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. એક એફિડેવિટ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ફાઈલ કરવામાં આવી હતી. જ્યારે બીજી એફિડેવિટ એનસીબીના અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવી હતી.

આ બધાની વચ્ચે સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને એનસીબી દ્વારા ભ્રષ્ટાચારના આરોપની વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે સાક્ષી દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમ દ્વારા સમીર વાનખેડેની આંતરિક તપાસ શરૂ કરાઈ છે.

મુંબઈ કાર્યાલયથી દિલ્હી મુખ્યાલયે એનસીબી પર લાગેલા આરોપોનો સમગ્ર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે, એનસીબીના ચીફ વિજિલન્સ ઓફિસર જ્ઞાનેશ્વર સિંહ દ્વારા સમગ્ર બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના વકીલ અદ્વૈત સેઠના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તપાસને ભટકાવવા માટે આ સારો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તેના માટે ક્યારેક ધમકી આપીને તો ક્યારેક સાક્ષીઓને ઈન્ફ્લુઅન્સ કરીને તપાસમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે. એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, મારા પરિવારને ધમકાવવામાં આવી રહ્યો છે અને આજે પણ મારા પર્સનલ નામને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે.

આ બાબતમાં સાક્ષીઓને એક્સપોઝ કરવામાં આવી રહ્યા છે અને તપાસને ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હું આ બાબતમાં કોઈ પણ તપાસ માટે તૈયાર છું. સમીર વાનખેડે દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલ સોગંદનામામા જણાવવામાં આવ્યું છે કે, તેમને ધમકી આપવાના અને તપાસમાં અડચણ ઉભી કરવાના પ્રયાસોને ધ્યાનમાં લેવામાં આવે.

તેની સાથે ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનના કેસમાં ગઈ કાલના એક નવો વળાંક આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં ‘વસૂલી કનેક્શન’ નો દાવો કરવામાં આવી રહ્યો છે. દાવો કરનાર વ્યક્તિને એનસીબી દ્વારા સાક્ષી બનાવી લેવામાં આવ્યો છે. પ્રભાકર સાઈલ નામના આ વ્યક્તિ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, એનસીબીએ તેને ખાલી પેપર પર સહી કરાવી અને આર્યનના છૂટકારા માટે 18 કરોડમાં ડીલ કરી હતી. સમીર વાનખેડે દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા છે.

પ્રભાકર સાઈલનો પ્રથમ આરોપ એ છે કે, સાક્ષી બનાવવા માટે તેની પાસે સાદા કાગળ પર સહી કરાવવામાં આવી હતી. બીજો આરોપ એ પણ લગાવ્યો છે કે, પંચનામા પેપર બતાવીને એનસીબી દ્વારા સહી કરાવવામાં આવી થઈ. ત્રીજો આરોપ છે કે, 18 કરોડ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી. ચોથો આરોપ એ પણ છે કે, 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાના હતા.

તમને જણાવી દઈએ કે, પ્રભાકર કિરણ ગોસાવીનો બોડી ગાર્ડ છે. જેની આર્યન ખાન સાથેની તસ્વીર સામે આવી હતી અને વિવાદ પણ થયો હતો. તેના પર ફ્રોડના અનેક મામલા દાખલ છે. તે અત્યારે ફરાર છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમ દ્વારા સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ કરવામાં આવશે. એનસીબીના ચીફ વિજિલન્સ અધિકારી જ્ઞાનેશ્વર સિંહ દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.

જ્યાં બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા આજે ફરીથી એક ટ્વીટ કરીને સમીર વાનખેડે પર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં તેમનું બર્થ સર્ટિફિકેટ ટ્વીટ કરીને તેમના પર જાતિનું નકલી પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બર્થ સર્ટિફિકેટ શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, તે સમીર વાનખેડેનું છે. જેમાં તેમના પિતાનું નામ દાઉદ કે. વાનખેડે લખવામાં આવ્યું છે. ધર્મની જગ્યાએ મુસ્લિમ લખવામાં આવ્યું છે.

Scroll to Top