દેશ માટે આવ્યા ખરાબ સમાચાર: હેલિકોપ્ટર દુર્ઘટનામાં જખ્મી થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું થયું નિધન

ભારતીય વાયુસેનાએ બુધવારે માહિતી આપી છે કે એરફોર્સના હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન થયું છે. આ અકસ્માતમાં તેઓ છેલ્લા બચ્યા હતા અને હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા હતા. વાયુસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી મળી છે. ટ્વીટ અનુસાર કેપ્ટન વરુણ સિંહે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે ખરાબ રીતે ઘાયલ થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કેપ્ટન વરુણ સિંહના નિધનના સમાચાર પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે સંપૂર્ણ ગર્વ, હિંમત અને પ્રોફેશનાલીસમ સાથે દેશની સેવા કરી હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુખ અનુભવું છું. દેશ માટે તેમની અદમ્ય સેવા ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”.

8 ડિસેમ્બરે એરફોર્સનું એક હેલિકોપ્ટર 14 લોકોને લઈ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા. તમિલનાડુના કુન્નુરમાં નીલગિરી ટેકરીઓમાં હેલિકોપ્ટર અચાનક ક્રેશ થયું હતું, જેમાં એક જ દિવસે 13 લોકો માર્યા ગયા હતા, પરંતુ કેપ્ટન વરુણ મોટા પ્રમાણમાં દાઝી ગયા હોવા છતાં જીવિત હતા. તે દિવસથી તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે તેનું નિધન થયું.

Scroll to Top