દિલીપ કુમાર ની ફરી બગડી તબિયત, દિગ્ગજ અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar) ની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે. તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાતની માહિતી તેમની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનોએ આપી છે.

98 વર્ષના દિલીપકુમારની તબિયત ઘણી વાર બગડતી રહે છે. હાલ તેની સારવાર હિન્દુજા હોસ્પિટલમાં ડો.જલીલ પાર્કર કરી રહ્યા છે. ગયા મહિને પણ દિલીપ કુમારને આરોગ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. જોકે, તેમને જલ્દીથી રજા આપવામાં આવી હતી.

પીટીઆઈ સાથેની વાતચીતમાં દિલીપકુમારની પત્ની સાયરા બાનોએ કહ્યું હતું કે અમે હોસ્પિટલથી ઘરે પાછા આવી ગયા છીએ. બધું બરાબર છે. તમારી પ્રાર્થનામાં સાહેબ (દિલીપકુમાર) ને યાદ રાખો. બાદમાં કહેવામાં આવ્યું કે દિલીપકુમારને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બે દિવસ ત્યાં રોકાયા હતા.

સાયરા બાનોએ કહ્યું હતું કે ભગવાનની કૃપાથી જો બધુ બરાબર રહેશે તો અમે રવિવારે જ ખાર હિન્દુજા નોન કોવિડ હોસ્પિટલમાંથી દિલીપ કુમાર સાથે ઘરે જતા રહીશું. મુંબઈમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કોઈ પણ કારણોસર હોસ્પિટલમાં જવું જોખમી છે. આશા છે કે દિલીપકુમાર સ્વસ્થ થઈ જશે અને જલ્દીથી સલામત રીતે તેમના ઘરે પાછા જશે. દિલીપકુમારની તબિયત જોઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. ડોકટરો નિયમિતપણે તેની તપાસ કરી રહ્યા હતા.

Scroll to Top