“સ્ત્રીઓ પર થતી હિંસા” એક સળગતો સવાલ ક્યારે અટકશે સ્ત્રીઓ પર થતો અત્યાચાર ?

ક્યારે અટકશે સ્ત્રીઓ પર થતો અત્યાચાર ?

વર્ષોથી આપણા દેશમાં એકજ વિષય પર લોકો ચર્ચા કરતા આવ્યા છે. કે સ્ત્રીઓ પર થતો અત્યાચાર ક્યારે અટકશે. આ સવાલ હાલમાં તમારા મનમાં પણ ઉઠી રહ્યો છે. જ્યારે તમે આ આર્ટીકલ વાંચી રહ્યો છે. જવાબ તો કોઈની પાસે નથી. પરંતુ આ અત્યાચારને અટકાવવા માટે પ્રયત્નતો દરેક વ્યક્તિ કરી શકે છે. પરંતુ આપણા દેશમાં લોકોની માનસીકતા હંમેશા એવી રહી છે. ખાવો પીવુ અને જલસાની જીંદગી જીવવી. પરંતુ કેવી રીતે અત્યાચાર અટકાવવો તે કોઈ સામાન્ય માણસ પ્રયત્ન પણ શુદ્ધા નહી કરે.

દુષ્કર્મની ઘટનાઓથી શર્મશાર થયો છે સભ્યસમાજ

તાજેતરમાંજ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી દુષ્કર્મનો શિકાર બની. અને બાદમાં તે મોત પામી હતી. પરંતુ પોલીસે યુવતીના મૃતદેહનો બારોબાર અંતિમ સંસ્કાર કરી દીધો છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. વાત અહીયા એ નથી યુવતી સાથે દુષ્કર્મ થયો અને દેશમાં હાહાકર મચ્યો છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આ ઘટનાએ એક રાજનૈતિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા યુવતીના પરિવારને લાખો રૂપિયાની સહાય આપવામાં આવી. પરંતું શું તે લાખો રૂપિયાથી યુવતી પરત આવશે ખરી ? સવાલોતો ઘણા ઉઠ્યા છે જે દરેકના મનમાં છે. પરંતુ જવાબ શોધવાની કોઈ તસ્દી લેતું નથી.

માણસ સ્વાર્થી બન્યો છે આજના સમયમાં

ઘટના દુષ્કર્મની હોય કે અપહરણનો હોય. માણસને ત્યારેજ ભાન આવે છે જ્યારે તેના ઘરનું કોઈ સભ્ય આવી ઘટનાઓનો ભોગ બને. કારણકે તે પહેલા તે ક્યારેય વિચારતો નથી આ ઘટનાઓ કેવી રીતે રોકી શકાય. પરંતુ હા આજનો માણસ ચર્ચા જરૂર કરશે પાનના ગલ્લે ઉભા રહીને. કે આઈપીએલની ટીમમાં કયો પ્લેયર લેવો જોઈએ અને કયો ન લેવો જોઈએ. આજનો માનવી પોતાના સ્વાર્થ માટે જ્યા તેને નમવું પડશે ત્યા નમી જશે. પરંતુ જ્યારે મહિલાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારની વાત તેની સામે આવશે. ત્યારે તે માત્ર એકજ વાક્ય બોલે છે કે આમાતો કઈજ કરી ન શકાય. પરંતુ એવુ નથી કરી તો ઘણું શકાય પરંતુ પ્રયત્ન કોઈ નથી કરતું.

બાળકીથી લઈને વૃદ્ધાઓ સાથે અત્યાચાર

દેશમાં માત્ર યુવતીજ નહી પરંતુ ચાર માસની બાળકીથી લઈને 60 વર્ષની વૃદ્ધા પણ દુષ્કર્મનો ભોગ બની છે. અને આ ઘટનાઓ કોઈ સામાન્ય ન કહેવાય સભ્ય સમાજ માટે આ ખુબજ શર્મશાર ઘટનાઓ છે. એવા પણ ઘણા કેસ છે જેમા ભોગ બનનાર પીડિતાનું મોત થઈ ગયું હોય અને 10 વર્ષ પછી તેના કેસની કોર્ટમાં સુનાવણી થાય

શું આપણી આવનારી પેઢી સુરક્ષીત રહી શકશે ?

આપણી આવનારી પેઢી આ દેશમાં કેટલી હદ સુધી સુરક્ષીત રહેશે તે એક ચિંતાનો વિષય છે. કારણકે સ્ત્રીઓપર વધી રહેલા અત્યાચાર જે પ્રમાણે વધી રહ્યા છે. તેને જોતા હવે કઈક કરવાનો સમય આવ્યો છે. અને દરેક માણસે જાગૃત થવાની જરૂર છે. કારણકે માત્ર સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જોવાથી જાગૃતતા આપણા બાળકો નહી આવે. કારણકે તેમને શું સાચું છે અને શું ખોટું તે સિખવાડવું પડશે. આપના ઘરે રહેતા દરેક બાળકને ગુડ ટચ અને બેડ ટચ વીશે તમારે માહિતી આપવી પડશે. ત્યારેજ આપણા બાળકો સુરક્ષીત રહી શકશે. દરેક સમયે યુવતીઓએ તેમજ પરિણીતાઓએ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન પોતેજ રાખવું પડશે. અને પોતાના માટે હાથ અને અવાજ બંને ઉઠાવવા પડશે. કારણકે તમારા ઘરના સભ્યો સિવાય કોઈ તમારા મદદ માટે ઉભા નહી રહે.

શિક્ષણ હવે જરૂરી બન્યું છે

માત્ર ગુજરાતનીજ વાત કરીએ તો ધોરણ 10નું રિઝલ્ટ દર વર્ષે 60 ટકા કરતા પણ ઓછું આવતું હોય છે. એટલે કે દર વર્ષે રાજ્યમાં 40 ટકા કરતા પણ વધારે લોકો નપાસ થાય છે. હવે જ્યા સુધી બાળકો શિક્ષિત નહી બને ત્યા સુધી ગુનાખોરી અને સ્ત્રીઓ પર થતા અત્યાચાર વધતા રહેશે. આ દરેક મા બાપની ફરજ છે કે તેઓ તેમના બાળકને શિક્ષણ આપે. અને તેના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે. કારણકે ભણતર વગરનું ગણતર ગુનાખોરીને રોકશે નહી પણ વધારો જરૂર કરશે.

લેખક- રોનક ભાવસાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top