90 ના દાયકાના આ જાણીતા સંગીતકારનું નિધન, કોરોનાના કારણે થયું નિધન

90 ના દાયકાના પ્રખ્યાત સંગીતકાર શ્રવણ રાઠોડનું કોરોનાથી અવસાન થયું છે. શ્રવણે નદીમ સૈફી સાથે મળીને યાદગાર સંગીત બનાવ્યા હતા. તેમને સારવાર માટે મુંબઈની એસ.એલ. રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ખૂબ જ ચિંતાજનક બની હતી.

66 વર્ષના શ્રવણના મોતની જાણ તેમના પૂર્વ સંગીતકાર જોડી નદીમ સૈફી દ્વારા કરવામાં આવી હતી. નદિમે બોમ્બે ટાઇમ્સને કહ્યું હતું કે, ‘મેરા શાનું નહીં રહા. અમે પોતાનું જીવન લગભગ એકસાથે પસાર કર્યું હતું. અમે સફળતા એક સાથે જોઈ છે. અમે ક્યારેય એકબીજાની સાથે સંપર્ક તોડ્યો નથી. અમે ભલે દુર હોય પરંતુ અમારા સંબંધોને કોઈ અસર પહોંચી નહોતી. મારા મિત્ર, વર્ષોથી મારા સાથી, શ્રવણે મારો સાથ છોડી દીધો છે. મારું જીવન એક શૂન્ય બની ગયું છે.

ઘણી ફિલ્મોમાં આપ્યું છે યાદગાર સંગીત

તમને જણાવી દઈએ કે, નદીમ-શ્રવણની જોડી 90 ના દાયકામાં ખૂબ પ્રખ્યાત જોડી હતી. આ જોડીએ ‘આશિકી’ (1990), ‘સાજન’ (1991), શાહરૂખ ખાનની ‘પરદેશ’ અને આમિર ખાનની ‘રાજા હિન્દુસ્તાની’ ફિલ્મોમાં બ્લોકબસ્ટર મ્યુઝીક આપ્યું હતું. 2000 માં અલગ થયા બાદ આ જોડીએ 2009 માં ડેવિડ ધવનની ‘ડુ નોટ ડિસ્ટર્બ’ માટે સંગીત આપ્યું હતું.

Scroll to Top