જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર બાબરીના પક્ષકારે કહ્યું- તો આખો દેશ બરબાદ થઇ જશે
MT Online Correspondent

વારાણસીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો મામલો કોર્ટમાં છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં હિન્દુ પક્ષ દ્વારા શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાને લઈને એક તરફ રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ બાબરી મસ્જિદ કેસના પક્ષકારો પણ સક્રિય જોવા મળી રહ્યા છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં બાબરીના પક્ષકાર હાજી મહેબૂબે હવે જ્ઞાનવાપી કેસને લઈને નિવેદન આપ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર હાજી મહેબૂબે કહ્યું છે કે જો મુસ્લિમો વારાણસીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદને બચાવવા માટે આંદોલન કરશે તો દેશ બરબાદી તરફ ધકેલાઇ જશે. તેમણે આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જ્ઞાનવાપી મસ્જિદ અને શાહી ઈદગાહ મસ્જિદ માટે ષડયંત્ર રચી રહ્યું છે.
હાજી મહેબૂબે કહ્યું કે જો તેઓ આ બે મસ્જિદો લેવાનું વિચારી રહ્યા છે તો તેમણે આ ભૂલી જવું જોઈએ. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદને બચાવવા માટે એક મોટું આંદોલન થશે અને મુસ્લિમો આ વખતે પાછળ હટશે નહીં. હાજી મહેબૂબે કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં છે ત્યાં જ રહેશે. શિવલિંગ મળી આવ્યું હોવાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ મસ્જિદના વઝુખાનામાં આવેલો ફુવારો છે, શિવલિંગ નથી.
બાબરી મસ્જિદના એડવોકેટ હાજી મહેબૂબે રામ મંદિર કેસનો ઉલ્લેખ કરતા દાવો કર્યો હતો કે દરેક જગ્યાએ વસ્તુઓ અમારી તરફેણમાં છે. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં બાબરી મસ્જિદની તરફેણમાં બધું સ્વીકાર્યું અને રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે કહ્યું કે અમે હજુ પણ મૌન રહ્યા અને આ સમસ્યાનો ઉકેલ આવે તેવુ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર હિંદુ દેવી-દેવતાઓનાં શ્રૃંગાર ગૌરીની દૈનિક પૂજાના અધિકારની માગણી સાથે કેટલીક મહિલાઓએ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા વારાણસી કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. વારાણસી કોર્ટ વતી સર્વે માટે નિયુક્ત કોર્ટ કમિશનરે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. ત્યાં જ શાહી ઇદગાહ મસ્જિદનો મામલો પણ મથુરાની જિલ્લા અદાલતમાં છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ
દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]
