ફાંસી આપતા પહેલા ગુનેગારના કાનમાં શું કહે છે જલ્લાદ? શું તમે જાણો છો
થોડા દિવસોથી દેશભરમાં શબનમ કેસની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને ફાંસીની સજા આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની મથુરા જેલમાં શબનમ નામની મહિલાને ફાંસી આપવામાં આવનાર છે. જો કે, ફાંસી આપવાની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. શબનમે તેના પ્રેમી સલીમ સાથે મળીને તેમના જ ઘરમાં લોહિયાળ રમત રમી હતી. હાલ તે રામપુરની જેલમાં બંધ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શું છે શબનમ કેસ અને ફાંસી આપતા પહેલા જલ્લાદ ગુનેગારના કાનમાં શું કહે છે.
ફાંસી પહેલાં શું થાય છે?
કોઈપણ ગુનેગારને ફાંસી આપતા પહેલા, જલ્લાદ કેદીના વજનનું પૂતળું લટકાવીને ટ્રાયલ કરે છે અને ત્યારબાદ ફાંસી આપવાની રસ્સીનો ઓર્ડર આપવામાં આવે છે. દોષિતના સંબંધીઓને 15 દિવસ પહેલા જાણ કરવામાં આવે છે કે તેઓ કેદીને છેલ્લી વાર મળી શકે છે.
દોષિતના કાનમાં આ છેલ્લો શબ્દ કહે છે જલ્લાદ
ફાંસી પહેલા જલ્લાદ ગુનેગાર પાસે જાય છે અને તેના કાનમાં કહે છે કે “મને માફ કરો, હું સરકારી કર્મચારી છું. હું કાયદાથી મજબૂર છું.” આ પછી, જો ગુનેગાર હિંદુ હોય, તો જલ્લાદ તેને રામ-રામ કહે છે, અને જો ગુનેગાર મુસ્લિમ હોય, તો તે તેને છેલ્લી વાર સલામ કરે છે. આ કહ્યા પછી, જલ્લાદ લિવર ખેંચે છે અને દોષિતનો જીવ ન જાય ત્યાં સુધી તેને લટકાવી દે છે. આ પછી, ડોકટરો ગુનેગારની નાડીને તપાસે છે. મૃત્યુની પુષ્ટિ થયા પછી, જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને બાદમાં મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવે છે.
ફાંસીના દિવસે શું થાય છે?
- ફાંસીના દિવસે કેદીને નવડાવીને નવા કપડાં આપવામાં આવે છે.
- વહેલી સવારે, જેલ અધિક્ષકની દેખરેખ હેઠળ, ગાર્ડ કેદીને ફાંસી રૂમમાં લાવે છે.
- ફાંસી વખતે જલ્લાદ સિવાય ત્રણ અધિકારીઓ હાજર રહે છે.
- આ ત્રણ અધિકારીઓ જેલ સુપ્રિટેન્ડેન્ટ, મેડિકલ ઓફિસર અને મેજિસ્ટ્રેટ છે.
- અધિક્ષક ફાંસી પહેલા મેજિસ્ટ્રેટને જાણ કરે છે કે કેદીની ઓળખ થઈ ગઈ છે અને તેને ડેથ વોરંટ વાંચી સંભળાવવામાં આવ્યું છે.
- ડેથ વોરંટ પર કેદીઓની સહી લેવામાં આવે છે.
- ફાંસી આપતા પહેલા કેદીને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે.
- કેદીની એ જ ઈચ્છાઓ પૂરી થાય છે, જે જેલ મેન્યુઅલમાં છે.
- ફાંસી આપતી વખતે માત્ર જલ્લાદ જ દોષિતો સાથે હોય છે.
આ છે શબનમ કેસ
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના બાવનખેડી ગામમાં રહેતી શબનમે તેના પ્રેમી સલીમ સાથે મળીને કુલ 7 લોકોની હત્યા કરી હતી. 14-15 એપ્રિલ 2008ની રાત્રે તેણે પોતાના જ ઘરમાં લોહીની રમત રમી હતી. તેણે તેના માતા-પિતા, બે ભાઈઓ, એક ભાભી, માસીની પુત્રી અને માસૂમ ભત્રીજાની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શબનમની હત્યા કરાયેલી ભાભી પણ ગર્ભવતી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી ફાંસીની સજા પુનઃસ્થાપિત થયા બાદ રાષ્ટ્રપતિએ શબનમની દયા અરજી પણ ફગાવી દીધી છે, હવે તેને જલ્દી ફાંસી આપવામાં આવશે.