માધુરીના પ્રેમમાં પાગલ સંજય દત્તે બીમાર પત્નીની અવગણના કરી, પછી દીકરી ક્યારેય ભારત ના આવી
સંજય દત્ત માત્ર તેના ઉત્તમ અભિનય માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ જાણીતો છે. સંજય દત્તના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા. આજે અમે તમને સંજય દત્ત અને તેની પત્ની રિચાના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવીશું, જેણે એક સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ખરેખરમાં સંજય દત્તની પત્ની રિચાને ગંભીર બીમારી હતી, જેના માટે તે અમેરિકામાં સારવાર માટે હતી. આ દરમિયાન સંજય દત્ત બોલિવૂડમાં એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી રહ્યો હતો. દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે સંજય દત્તનું તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે અફેર છે.
એવું કહેવાય છે કે જ્યારે સંજય દત્તની બીમાર પત્ની રિચાને આ વાતની ખબર પડી તો તેણે પોતાની સારવાર અધવચ્ચે જ છોડી દીધી અને અમેરિકાથી ભારત આવી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિચા સંજય દત્તની દિલફેંક આશિકની ઈમેજથી પણ વાકેફ હતી.
આ જ કારણ હતું કે જ્યારે તેને અભિનેત્રીના માધુરી દીક્ષિત સાથેના અફેરની ખબર પડી તો તે સીધી ભારત ચાલી આવી હતી. જો કે, અહીં આવ્યા પછી પણ રિચાની મુશ્કેલીઓ ઓછી થઈ નહીં, એવું કહેવાય છે કે સંજય દત્ત તેની બિમાર પત્નીને રિસીવ કરવા એરપોર્ટ ગયો નહોતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્તના આ વર્તનને કારણે રિચા અને તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. ત્યાં જ માધુરી દીક્ષિતે પણ સંજય દત્તનું નામ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આવ્યા બાદ તેનાથી દૂર થઈ ગઈ હતી. રિચા પણ કેન્સરથી મૃત્યુ પામી હતી અને સંજય અને તેની પુત્રી ત્રિશાલાનો ઉછેર દાદા-દાદી દ્વારા થયો હતો. તે હજુ પણ અમેરિકામાં રહે છે.