રુચિરા કંબોજ કોણ છે જે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા રાજદૂત બન્યા છે?

1987 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી રુચિરા કંબોજને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આગામી રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. રૂચિરા હાલમાં ભૂટાનમાં ભારતની રાજદૂત છે, તે ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી સંભાળશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વર્તમાન રાજદૂત TS તિરુમૂર્તિનો વિસ્તૃત કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે.

કોણ છે રૂચિરા કંબોજ?

રૂચિરા 1987ની સિવિલ સર્વિસિસ બેચની ટોપર રહ્યા છે. ભૂટાનમાં રાજદૂત બનતા પહેલા તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર, યુનેસ્કોમાં ભારતના રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે સેવા આપી છે. રૂચિરા ભૂટાનમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત છે.

ફ્રાન્સથી કારકિર્દીની શરૂઆત કરી

તેમણે ફ્રાન્સના પેરિસથી થર્ડ સેક્રેટરી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન તેમણે ફ્રેન્ચ ભાષા શીખી અને ટૂંક સમયમાં ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી બની ગયા. આ પછી તેમણે વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી તરીકે પશ્ચિમ યુરોપ વિભાગના કામની દેખરેખ રાખી. આ પછી રુચિરા ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમી એન્ડ કોમર્શિયલ) તરીકે મોરેશિયસ પહોંચી. આ પછી તે વિદેશ મંત્રાલયમાં અનેક મહત્વના હોદ્દા પર રહી ચૂકી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરવાનો અનુભવ

રુચિરાએ 2002-2005 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં સલાહકાર તરીકે કામ કર્યું છે જ્યાં તેમણે યુએન પીસકીપિંગ, યુએન સિક્યુરિટી કાઉન્સિલ રિફોર્મ, મિડલ ઇસ્ટ કટોકટી વગેરે સહિત વિવિધ રાજકીય મુદ્દાઓ પર કામ કર્યું હતું.

Scroll to Top