IndiaNews

વિધવા ભાભી વારંવાર ફોન પર વાત કરતી હતી, રાત્રે 1 વાગ્યે દીયરે હથોડો મારી પતાવી નાંખી

ગાઝિયાબાદના લોનીમાં એક દીયરે તેની ભાભીની હથોડા વડે હત્યા કરી હતી. મૃતક મહિલા વિધવા હતી અને તેને ત્રણ બાળકો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આરોપી પતિનો નાનો ભાઈ છે જેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી ગુનામાં વપરાયેલ હથોડો પણ મળી આવ્યો છે.

ભાભીને કેમ મારી તે દીરે જણાવ્યું.

મીડિયા અહેવાલ અનુસાર, આ કેસની માહિતી આપતા ગાઝિયાબાદ પોલીસે કહ્યું કે હત્યાના આરોપી અભિષેકે પૂછપરછ દરમિયાન હત્યાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે તેની ભાભી ટ્વિંકલ રાત્રે ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી હતી. અભિષેકના કહેવા પ્રમાણે, ઘરના બધા જ આ વાત જાણતા હતા અને ઘરમાં કોઈને આ વાત પસંદ નહોતી. અભિષેકે જણાવ્યું કે તેણે ટ્વિંકલને ઘણી વખત સમજાવ્યું પરંતુ તેણે કોઈની વાત ન માની. આ બાબતે ઘરમાં ઝઘડો થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને શંકા હતી કે તેની ભાભીનું એક યુવક સાથે અફેર છે. સોમવારે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે આરોપી પતિના નાનો ભાઈ અભિષેક તેની ભાભીના રૂમમાં હથોડા લઇ ઘૂસી ગયો હતો અને તેણીના માથા અને ચહેરા પર ઘણી વાર મારી હત્યા કરી હતી.

આ સમગ્ર મામલે ન્યાયતંત્રના અધિકારી લોની રજનીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,”મહિલા ટ્વિંકલની હત્યાની માહિતી મળતાં જ સ્થાનિક લોની બોર્ડર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલામાં તૈયારી બતાવતા મહિલાના હત્યારા, પતિના નાના ભાઈ અભિષેકની ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં વપરાયેલ હથોડો પણ પોલીસને મળી આવ્યો છે. ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી. જેમણે સ્થળ પર હાજર પુરાવા એકઠા કર્યા છે.”

ટ્વિંકલના પતિનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું

ટ્વિંકલના પરિવારે પોલીસને જણાવ્યું કે આરોપીના મોટા ભાઈ ગૌરવ અને 23 વર્ષીય ટ્વિંકલના લગ્ન સપ્ટેમ્બર 2017માં થયા હતા. લગભગ એક વર્ષ પહેલા ગૌરવે મુરાદનગરમાં એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. જે બાદ ટ્વિંકલ તેના ત્રણ બાળકો સાથે તેના સાસરિયાના ઘરે રહેતી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker