20 વર્ષના સફરમાં વડાપ્રધાન મોદી બન્યા રાજનીતિના બાદશાહ જુઓ સમગ્ર વિગત

2001માં બન્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001ની સાલમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તઓ 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. જોક આ સમયગાળામાં તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા. પરંતુ તેમણે દરેક પડકરને પહોચી વળ્યા હતા. અને ગુજરાતને વિશ્વમાં એક અનોખી ઓળખ આપી હતી.

ભૂંકપ બાદ ભૂજને ટૂંક સમયમાં ફરી ઉભું કર્યું

2001ની સાલમાંજ ગુજરાતે એક ભયંકર ભૂકંપનો સામનો કર્યો હતો. જે ભૂકંપને કારણે ગુજરાતને ઘણું સહન કરવું પડ્યું હતું. જોકે આ ભૂકંપમાં સૌથી વધારે નુકશાન ભૂજમાં થયું હતું. તે સમયે કેશુંભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પરંતુ નરેન્દ્ર મોદીની મદદ લઈને તેમણે ગુજરાતને ખૂબજ ટૂંકા સમયમાં ગુજરાતને ફરી ઉભું કર્યું હતું.

14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. અને તેમણે આ સમયગાળામાં ગુજરાતનો ઘણો વિકાસ કર્યો . જેમા તેમણે બિઆરટીએસ જેવી સુવીધા પહેલા ગુજરાતમાં લાવી હતી. અને અન્ય કંપનીઓ પણ ગુજરાતમાં પ્લાન્ટ નાખવાની મંજૂરી આપી. જેથી ગુજરાતમાં રોજગારી વધી હતી.

2014માં બન્યા દેશના વડાપ્રધાન

અબકી બાર મોદી સરકારના સ્લોગન સાથે નરેન્દ્ર મોદી ભારે બહુમત સાથે ભારતના વડાપ્રધાન બન્યા હતા. અને વડાપ્રધાન બન્યા બાદ તેમણે વિદેશોમાં જઈને ભારતને એક આગવી ઓળખ આપી હતી. અને વિશ્વમાં પ્રખ્યાત લીડર તરીકે તેઓ સામે આવ્યા છે.

પાકિસ્તાનને બે વખત જડબાતોડ જવાબ આપ્યો

26/11ના હુમલામાં પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ઘણા માસૂમ લોકોને રહેંશી કાઢ્યા હતા. જોકે તે સમયે ભારતે કોઈ કાર્યવાહી નહોતી કરી. પરંતુ 2016ની સાલમાં આતંકીઓએ ઉરીમાં આર્મીના બેસ કેમ્પ પર હુમલો કર્યો હતો. ત્યારે સર્જીકલ સ્ટ્રાઈક કરીને ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પુલવામાં હુમલા બાદ એર સ્ટ્રાઈક કરી હતી

File written by Adobe Photoshop¨ 5.0

2019માં જૈશ એ મહોમ્મદ આતંકી સંગઠન દ્વારા પુલવામામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અંદાજે 45 જેટલા ભારતના સૈનિકો શહિદ થયા હતા. પરંતુ તે હુમલાના 10 દિવસની અંદરજ પીઓકેમાં ભારતે એર સ્ટ્રાઈક કરી હતી. અને જૈશ એ મહોમ્મદના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

ચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ

15 જૂન 2020ના રોજ ચીની સૈનિકોએ ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાનોને માર્યા હતા. જે ઘટના બાદ મોદી સરકારે ચાઈનીઝ એપ્લીકેશન પર પ્રતિબંધ મુક્યો. જેના કારણે ચીનને અબજો રૂપિયાનું નુકશાન થયું છે. અને તેની ઈકોનોમી પર ખરાબ અસર પડી છે, સાથેજ હાલના સમયમાં પણ મોદી સરકાર દ્વારા સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેઓ રાત દીવસ દેશની રક્ષા કરી રહ્યા છે. અને સરકાર દ્વારા સૈનિકોને પૂરી રીતે છૂટ આપી દેવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top