દેશની રાજધાનીમાં દિલ્લીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા 700 થી વધુ લોકોના અંતિમ સંસ્કાર વિવિધ સ્મશાન ઘાટમાં કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નિયમો હેઠળ કુલ 702 લોકોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં 329 મૃતદેહો દક્ષિણ દિલ્હીના હતા, જ્યારે 310 મૃતદેહ ઉત્તર દિલ્હીના અને પૂર્વ દિલ્હીમાં 63 લોકોના મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જો કે, કોરોના સંક્રમણને લઈને સરકારના આરોગ્ય વિભાગના મોતની સંખ્યામાં 24 કલાક દરમિયાન 368 લોકોના મોતની જાણકારી આપવામાં આવી છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. બુધવારે પણ દિલ્હીમાં કોરોનાના 25986 નવા કેસ સામે આવ્યા હતા, જેની સાથે સંક્દરમિત દર્દીઓની સંખ્યા વધીને 99752 પર પહોંચી ગઈ છે.
આરોગ્ય વિભાગના મેડિકલ બુલેટિનના જણાવ્યા મુજબ, રાજધાનીમાં હાલ 53,000 થી વધુ લોકો હોમ-આઈસોલેશનમાં છે, જ્યારે ૨૪ કલાક દરમિયાન 20000 થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. આ દરમિયાન, કોરોનાથી મુત્યુના આંકડા અને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી મોત બાદ મૃતદેહોના અંતિમ સંસ્કારની સંખ્યામાં અંતરથી પરીસ્થિતિ વધુ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહી છે.
આ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટ રાજધાનીમાંમાં કોરોના સંકટથી સર્જાયેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં બે જજોની ખંડપીઠે કોરોનાથી કથળેલી પરિસ્થિતિ માટે સરકારને ઠપકો આપ્યો હતો. તેની સાથે કોર્ટે સરકારને પણ સંકટને પહોંચી વળવા સૈન્યની મદદ લેવાનું સૂચન કર્યું હતું. જ્યારે કોર્ટે એમ્બ્યુલન્સના અભાવને જોતા કોર્ટે એમ પણ કહ્યું હતું કે, એમ્બ્યુલન્સને બદલે મૃતકોને ડીટીસીની બસોમાં લઈ જવાનો વિચાર કરો.