અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા અને તેનાથી મોતના આક્ડાઓમાં પણ વધારો થતા પ્રશાસન પણ સતર્ક બન્યું હતું અને તેના ભાગ રૂપે અમદાવાદમાં AMTS અને BRTS બસો બંધ કરવી પડી હતી. અને આ અંગે આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી AMTS અને BRTS ની બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યો હતો ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે હવે અમદાવાદમાં કોરોના કેસ ઘટતાં શહેરમાં આવતીકાલ સોમવારથી ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. જો કે અમદાવાદમાં AMTS અને BRTS શરૂ કરવા માટે નાગરિકોની ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી.
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. અને શહેરમાં આ AMTS અને BRTS બસો બંધ રહેતા લોકોને રિક્ષાના વધુ ભાડા ચૂકવવા પડતા હતા જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે હવે અમદાવાદ શહેરમાં સોમવારથી ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવામાં આવી રહી છે. જો કે આ AMTS અને BRTS ટ્રાન્સપોર્ટ સેવા શહેરમાં સોમવારથી કોવિડ-19 ના નિયમો સાથે શરૂ થશે. જેને લઈને AMCના સત્તાધિશોએ નિર્ણય લીધો છે.
જો કે, આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પેટલે જણાવ્યું હતું કે, BRTS અને AMTS ક્યારે શરૂ થશે એ સવાલ સૌને હતો. ત્યારે અમે સોમવારે એટલે કે 7 જૂન 2021 થી 50 ટકા બસો શરૂ કરીશું. આ બસોમાં 50 ટકા મુસાફરોને બસમાં બેસાડવામાં આવશે. બસનો સ્ટાફ તેમજ વિજિલન્સના કર્મચારીઓ મળીને ગાઈડલાઈનનું પાલન કરાવીશું. હાલ બસમાં લોકો બેસતાં નથી, કોરોનાના ડરને કારણે આ સ્થિતિ પેદા થઈ છે.
અમદાવાદ શહેરમાં સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેના કારણે આ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જયારે બસો બંધ રહેવાને કારણે AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન ભોગવવાનો વાળો આવ્યો છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનામાં આ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ બસ સેવા સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે.
બસમાં દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે, અને જો કોઈ કર્મચારી થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.