દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનાએક દિવસીય પ્રવાસે આવેલ છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનુંભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તે ત્યાંથી સર્કિટ હાઉસ પહોંચ્યા છે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારેઉત્સાહ જોવા મળ્યો છે. શહેરમાં ઠેર-ઠેર બેનર પણ લગાવવામાં આવ્યા હતા. કેજરીવાલનાસ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર હાજરરહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મચારીઓગોઠવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર કાર્યકરોની હાજરી જોવા મળી હતી.
અરવિંદ કેજરીવાલ વલ્લભ સદન પહોંચ્યા હતા. આ દરમિયાન ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા પણ પહોંચ્યા વલ્લભ સદન પહોંચ્યા હતા. ભગવાનને તમામ નેતા દ્વારા માથું ટેકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈસુદાન ગઢવીનો વિધિવત રીતે AAP માં પ્રવેશ કર્યો છે. કેજરીવાલ સાથે પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જોડાયા હતા.
ગોપાલ ઇટાલિયાએ આ દરમિયાન જાહેરાત કરતા જણાવ્યું કે, આજે ઐતિહાસિક દિવસ રહેલો છે. આમ આદમી પાર્ટી નવા મુકામ તરફ આગળ વધતી જોવા મળી રહી છે. ઈસુદાન ગઢવીએ AAP માં જોડાઈ રહ્યા છે. આજની ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ છે. ઈસુદાન ગઢવીએ નીડરતા પૂર્વક પત્રકારત્વ કરેલ છે. આ દરમિયાન કેજરીવાલે ઈસુદાન ગઢવીએ AAP નો ખેસ પહેરાવ્યો હતો. જ્યારે ઈસુદાન ભાઈ અમારી સાથે જોડાતા અમારી શક્તિ વધી છે.
આ દરમિયાન ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, મારી કારકિર્દીમાં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે, હું રાજનીતિમાં જોડાઇશ. અત્યાર સુધી વાલીઓ, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. લોકોને ન્યાય અપાવવા હંમેશા મે પ્રયાસ કર્યો છે. આપણું બંધારણ જણાવે છે કે, નિર્ણયો લેવાની શક્તિ નેતામાં જ છે. ગુજરાતની જનતાએ અઢળક પ્રેમ કર્યો છે. વ્યક્તિ હોય એવો જ રહેવો જોઈએ. આજે પણ મારો ઉદ્દેશ સમાજ સેવાનો છે. મારે કંઇક કરવું પડશે. IIT માં એડમિશન લેવા વિદ્યાર્થી બનવું વિદ્યાર્થીનું સપનું છે.
UPSC પાસ કરવું તે પણ તેમનું સપનું છે. જયારે કેજરીવાલ બધું છોડી સેવામાં આવ્યા છે. એટલે હું આવી પાર્ટીમાં જોડાયો છુ. એટલે હું કેજરીવાલથી ખુબ પ્રભાવિત થયો છુ. કેજરીવાલ રાજનીતિથી દૂર રહ્યા હોત તો આજે દિલ્હીમાં હાઈટેક સ્કૂલ અને મહોલા ક્લિનિક ન બન્યા હોત. એટલે આજે હું ત્રીજા વિકલ્પ માટે આવ્યો છું. શું બુટલેગરો અને ભ્રષ્ટાચારથી રાજ ચલાવવાનું છે? આજે હું જાહેરમાં કહું છું ભાજપ અહીં લોકપ્રિય નહોતું. તેનો વિકલ્પ નહોતો. મારો આ નિર્ણય સ્વાર્થ માટે નથી. તમારા માટે મારો નિર્ણય છે.