રામ મંદિર જમીન વિવાદને લઈને શંકરાચાર્યજીએ કરી મોટી વાત

રામ મંદિર જમીન વવિવાદને લઈને આખા દેશમાં માહોલ ગરમાયો છે. નેતાઓ બાદ હવે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જ્યોતેશ્વરમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણ ટ્રસ્ટના બહાને આરએસએસ અને બીજે પણ જોરદાર નિશાન સાધ્યું છે.

શંકરાચાર્યએ કહ્યું કે, સરકાર દ્વારા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આમાં ભ્રષ્ટાચારીઓને શામિલ કરી લેવામાં આવ્યા છે. ચંપત રાયને પહેલા કોઈ જાણતું નહોતું પરંતુ તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વેસર્વા બનાવી દેવામાં આવ્યા. આ પહેલા તેમણે નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર પણ ગૌહત્યા બંધી ન કરાવવાને લઈને નિશાન સાધ્યું હતું.

શંકરાચાર્યએ કહ્યું કે, ગૌહત્યાબંધી માટે જ્યારે તેમની સંખ્યા સંસદમાં 2 હતી, ત્યારે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, જ્યારે સંસદમાં આમની સંખ્યા 200થી વધારે થઈ ગઈ તો તેઓ ગૌહત્યાબંધીનો નારો ભૂલી ગયા. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મંદિરના શિલાન્યાસ પર પણ પ્રશ્નો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે, શ્રીરામ મંદિર નિર્માણના શિલાન્યાસમાં શુભ મુહૂર્ત પર ધ્યાન ના આપવામાં આવ્યું, મંદિરનો શિલાન્યાસ અત્યંત અશુભ મુહૂર્તમાં કરવામાં આવ્યો છે, જેનો અમે વિરોધ પણ કર્યો પરંતુ કોઈએ ધ્યાન ના આપ્યું. આ કારણે ટ્રસ્ટીઓની બુદ્ધિ ખરાબ થઈ રહી છે, જેનું ઉદાહરણ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે.

મહત્વનું છે કે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટ પર જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. શંકરાચાર્યએ કહ્યું કે, સરકારે ટ્રસ્ટ બનાવ્યું અને તેમાં ભ્રષ્ટાચારીઓને સામેલ કરવામાં આવ્યા. ચંપત રાય કોણ હતા? એ પહેલા કોઈ નહોતું જાણતું, પરંતુ તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વે સર્વા બનાવી દેવામાં આવ્યા. તેમણે નામ લીધા વગર કેન્દ્ર સરકાર પર ગૌહત્યા બંધ ના કરાવવાને લઇને નિશાન સાધ્યું.

Scroll to Top