કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. હવે આ વાયરસનું નવું વેરિયન્ટ મળ્યું છે. જેનું ડેલ્ટા પ્લસ નામ આપવામાં આવ્યું છે. આ કોરોનાના ડેલ્ટા વેરિયટન્ટથી બન્યો છે. જેના કારણે સંક્રમણ વધ્યું હતું. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ડેલ્ટા પ્લસ વાયરસ ફરી થર્ડ વેવ માટે જવાબદાર બનશે અને કોહરામ મચાવશે. જો કે વૈજ્ઞાનિક ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ચિંતિત નથી કારણ કે દેશમાં આ વેરિયન્ટના બહુ ઓછા કેસ જોવા મળી રહ્યાં છે.
ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટનો મ્યૂટેશન છે. કોરોનાની બીજી લહેર દરમિયાન આ વાયરસની ઝપેટમાં આવેલા લોકો ડેલ્ટા વેરિએન્ટનો શિકાર બન્યા હતા. વૈજ્ઞાનિકો પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટ મ્યૂટેટ થઈને ડેલ્ટા પ્લસ બની ગયો છે.
જાણકારોનું કહેવું છે કે હજુ સુધી આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ચિંતાજનક વેરિએન્ટ બન્યો નથી. પરંતુ સરકાર તેના પર કામ કરી રહી છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજીના નિર્દેશક ડો અનુરાગ અગ્રવાલે કહ્યું કે, હાલ આ વાયરસને લઇને ભારતમાં કોઇ ચિતા નથી. તેમણે કહ્યું કે, વેક્સિન આ વેરિયન્ટ માટે કેટલી કારગર છે તે જાણવા માટે વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા વ્યક્તિ બ્લડ પ્લાઝમાથી આ વાયરસનું પરીક્ષણ કરાશે. તેનાથી જાણી શકાશે કે, રોગ પ્રતિકારક ક્ષમતા આ વેરિયન્ટને માત આપી શકે છે કે નહીં.