મહિલાઓની પ્રીય પાણીની લારીઓ પર વડોદરામાં ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે. વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને 101 કિલો વાસી બટાટા તથા બિન આરોગ્યપ્રદ 555 લિટર પાણીપુરીના પાણીનો નાશ કર્યો છે, ઉપરાંત તેલ, ચટણી સહિતના નમૂના લીધા છે ચોમાસાની જમાવટ સાથેજ પાણીજન્ય રોગચાળો ફેલાયો છે ત્યારે જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ આપેલી સૂચનાના પગલે વડોદરા સહિત રાજ્યભરમાં પાણીપૂરીની લારીઓમાં ચેકિંગ થઈ રહ્યું છે. જે અંતર્ગત શહેરમાં ગોરવા, અલકાપુરી, ગોત્રી, અકોટા, તાંદલજા, વાસણા, વાઘોડિયા રોડ, ઉકાજીનું વડીયું, આજવા રોડ, ખોડીયારનગર, ન્યૂવી આઇપી રોડ, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ, ન્યાયમંદિર અને રાજમહેલ રોડ વિસ્તારમાં પાણીપુરીની 177 જેટલી લારીઓમાં તપાસ કરવામાં આવી છે.
પાણીપૂરીના પાણીના 32, પામોલિનના 4, કપાસિયા તેલના 1, ચટણીના 2 અને આટાના 2 નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે પાલિકાના ફૂડ વિભાગે પાણીપૂરીની લારીઓમાં તપાસ કરતા કેટલાંક સ્થળે વાસી બટાકા અને પાણી પીવાલાયક ન હોવાનું ખૂલ્યું હતું. ત્યારે તમેપણ આવી પાણીપુરી ખાતા પહેલા ચેતી જશો નહીં તો તમારૂં સ્વાસ્થ્ય બગડી શકે છે.