આ મંત્રીજીએ મોંઘવારી માટે નહેરુને જવાબદાર ગણાવ્યાઃ સાંભળો તેમનું નિવેદન

નવી દિલ્હી: દેશમાં વધતી મોંઘવારીને લઇને મધ્ય પ્રદેશની શિવરાજ સરકારમાં મંત્રી વિશ્વાસ સારંગે અનોખુ નિવેદન આપ્યુ છે. વિશ્વાસ સારંગે દેશમાં વધતી મોંઘવારી માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને જવાબદાર ગણાવ્યા છે અને કહ્યુ કે તેમણે 15 ઓગસ્ટ 1947માં જે ભાષણ આપ્યુ હતું તેને કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલોના જવાબ આપતા મધ્ય પ્રદેશની ભાજપ સરકારમાં તબીબી વિભાગના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યુ કે આ દેશની આઝાદી બાદ અર્થવ્યવસ્થાને ખરાબ કરી મોંઘવારી વધારવાનો શ્રેય કોઇને જાય છે તો તે નેહરૂ પરિવારને જાય છે. સારંગે કહ્યુ કે મોંઘવારી એક બે દિવસમાં નથી વધતી અને અર્થવ્યવસ્થાનો પાયો એક બે દિવસમાં નથી રાખવામાં આવતો. 15 ઓગસ્ટ 1947માં લાલ કિલ્લા પરથી જવાહરલાલ નેહરૂએ જે ભાષણ આપ્યુ હતું, તે ભાષણની ભૂલને કારણે અર્થવ્યવસ્થા બગડી છે.

ભાજપ નેતાના આ નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે વિશ્વાસ સારંગનો વીડિયો ટ્વીટ કરતા લખ્યુ કે મધ્ય પ્રદેશના મંત્રીને સાંભળો- નેહરૂજીએ 15 ઓગસ્ટ 1947માં જે ભાષણ આપ્યુ, તેને કારણે મોંઘવારી વધી રહી છે. હસો મત. આ અફલાતૂની લોકો જનતાને મૂરખ સમજવા અને બનાવવાની તમામ મર્યાદાઓ રોજ આ રીતે તોડે છે.

સોશિયલ મીડિયા પર પણ લોકોએ મંત્રી વિશ્વાસ સારંગના આ નિવેદનને લઇને નિશાન સાધ્યુ છે. ટ્વીટર યૂઝરે લખ્યુ કે, મંત્રી બનવા માટે મૂરખ હોવુ જરૂરી છે. બીજા ટ્વીટર યૂઝરે લખ્યુ કે આરએસએસ અને ભાજપમાં આગળ વધવા માટે મૂરખ, જાહિલ અભણ અને બેશરમ હોવાની જરૂરી શરત છે.

આ સિવાય ઋષિકેશ રાનૂ નામના એક યૂઝરે એમ પણ લખ્યુ કે તમામ નમૂના એક જ પાર્ટીમાં છે શું?? ક્યાંથી આવે છે આવા લોકો, તે પણ મંત્રી બનેલા છે. વિચારો જ્યારે જનપ્રતિનિધિ આવા છે તો જનતા કેવી હશે. શું આશા કરી શકાય આવા લોકો પાસેથી, આ દેશ અને તે રાજ્ય બન્ને માટે ખતરનાક છે. દેશ ખોટા હાથમાં છે, આવા ઠગથી સાવધાન રહો.

Scroll to Top