‘છીછોરે’ સહિત અનેક હિન્દીફિલ્મોમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી અભિલાષા પાટિલોલ કોરોના સામેની જંગ હારી ગઈછે. મંગળવારના રોજ અભિલાષાનું નિધન થયું હતું. પ્રાપ્ત થયેલ રિપોર્ટ મુજબ અભિલાષાબનારસમાં એક શૂટિંગના સિલસિલામાં ગઈ હતી. પરંતુ જ્યારે તે મુંબઈ પરત ફરી તો તેમમાંકોરોના વાયરસના કેટલાક લક્ષણ જોવા મળ્યા હતા. લક્ષણોની સાથે તેમને પોતાની તપાસકરાવી તો કોરોના પોઝીટીવ આવી હતી.
અભિલાષા છેલ્લા ઘણા સમયથી આઈસીયુમાં દાખલ હતી.અભિલાષા પાટીલ મરાઠી સિનેમામાં મોટું નામ છે. અભિલાષા પાટિલ મરાઠી સિનેમાનું એક મોટું નામછે. તે ઘણી મરાઠી ફિલ્મો જેમ કે ‘તે આઠ દિવસ’, ‘બાયકો દેતા કા બાયકો’, ‘પરવાસ’ અને ‘તુઝા માઝા એરેન્જમેરેજ’ જેવી ઘણી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. જ્યારે હિન્દીફિલ્મોની વાત કરીએ તો તે ‘છીછોરે’ સિવાય ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘ગુડ ન્યૂઝ’ અને ‘મલાલ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. અભિલાષાનામૃત્યુના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
કોરોના વાયરસની આ બીજી લહેરે દેશમાં કોહરામમચાવી દીધો છે. વાયરસનું આ બીજું સ્વરૂપ અત્યંત ભયાનક છે અને લાખો લોકો તેની ચપેટમાંઆવી હોસ્પિટલો સુધી પહોંચી ગયા છે. પ્રાદેશિક અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાકલાકારો પણ આ વાયરસથી બચી શક્યા નથી. જ્યારે તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે, નીક્કીતંબોલીના 29 વર્ષીય ભાઈનુંવાયરસને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે ભૂમિ પેડનેકર તેના નજીકના સંબંધીઓનેગુમાવી દેતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.