ભાજપ ના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા અડવાણીને મળવા પીએમ નરેન્દ્ર મોદી સોમવારે અડવાણી ના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ હતો. પીએમ નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હતા. પીએમ નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નેતાને ગુલદસ્તો ભેટ માં આપી હતી અને ત્યારબાદ તેમનો હાથ પકડતા જોવા મળ્યા હતા. બાદમાં પીએમ નરેન્દ્ર મોદી, વેંકૈયા નાયડુ અને રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ લાલકૃષ્ણ અડવાણી સાથે તેમના ઘરે બેઠેલા જોવા મળ્યા હતા.
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને અડવાણીને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે, “આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું. લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાના તેમના પ્રયાસો માટે દેશ તેમનો ઋણી રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અડવાણીને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, “તેઓ ભારતના સૌથી આદરણીય નેતાઓમાંના એક છે જેમની શિષ્યવૃત્તિ, દૂરંદેશી, બૌદ્ધિક ક્ષમતા અને કૂટનીતિ બધા સ્તંભ સમાન માનવામાં આવે છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ જીવન અર્પે.
ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું, લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ, જેમણે ભાજપને લોકો સુધી લઈ ગયા છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અડવાણીજી પક્ષના કરોડો કાર્યકરો માટે પ્રેરણાસ્ત્રોત છે. હું તમારા લાંબા જીવન અને તંદુરસ્ત જીવન માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અડવાણીનો જન્મ સિંધ પ્રાંતના કરાચી (હવે પાકિસ્તાન)માં સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર હેઠળ દેશના ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા.