GujaratNews

અમદાવાદ ગેંગરેપ ખોટો સાબિત થયો: ફરિયાદી યુવતીએ જ આપતિજનક ફોટો એડિટ કર્યા હતા

અમદાવાદઃ શહેરમાં જ નહીં રાજ્ય અને કેન્દ્રસ્તરે પણ ખૂબ ચર્ચિત બનેલા અમદાવાદ SUV રેપ કેસમાં ખૂબ જ મોટો વળાંક આવ્યો છે. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ કહ્યું કે સમગ્ર કેસ આરોપીઓને ફસાવવા માટે ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો હતો. જે તે સમયે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીને પણ બદનામ કરનાર આ કેસમાં તમામ પૂરાવા અને આરોપ ખોટી રીતે ઉભા કરવામાં આવ્યા હોવાના ફોરેન્સિક તપાસ, નાર્કો ટેસ્ટ અને દરેક આરોપની ઉલટ તપાસમાં સામે આવ્યું હોવાનો ક્રાઇમ બ્રાંચે દાવો કર્યો છે.

અધિકારીએ કહ્યું કે, ‘અમારી પાસે કથિત રેપ કેસના આરોપીઓના નાર્કો એનેલિસિસ, બ્રેઇન મેપિંગ અને બીજા તમામ ટેસ્ટના રિપોર્ટ આવી ગયા છે. આ સાથે કેસને લગતા તમામ સબૂત અને પૂરાવા જે અમને આપવામાં આવ્યા હતા તેને જોતા જે રીતે ફરિયાદ કરવામાં આવી છે તેના તથ્યો સાથે મેચ નથી થતા.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘બદ ઈરાદા પૂર્વક કરવામાં આવેલ ખોટી FIR માટે અમે આરોપ મુકનારની પણ ધરપકડ કરી શકીએ છીએ.’

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તમામ રિપોર્ટ અંગે પૂછવામાં આવતા જણાવ્યું કે, ‘તમામ રિપોર્ટ એક સીલ્ડ કવરમાં પબ્લિક પ્રોસિક્યુટરને સોંપી દીધા છે. જે ટુંકમાં જ હાઈકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરશે.’ તો હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલ સવાલ કે શા માટે આ મામલે આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી તે અંગે ક્રાઇમ બ્રાંચે જવાબ આપ્યો હતો કે, ‘ફરિયાદી દ્વારા કરવામાં આવેલ ફરિયાદ બદ ઇરાદે અને આરોપીઓને ફસાવવા માટે કરવામાં આવેલી હોવાનું જણાઈ આવતા હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.’

ક્રાઇમબ્રાંચે ત્યાં સુધીનો દાવો કર્યો છે કે, કથિત રેપ કેસ માટે ફરિયાદી દ્વારા પુરાવા તરીકે આપવામાં આવેલ પિક્ચર્સ પણ અનેકવાર એડિટિંગ કરેલા અને મોર્ફ કરેલા છે. ઉચ્ચઅધિકારીએ કહ્યું કે, ‘આ પિક્ચર્સ એડિટિંગ કરેલા છે તે સાબિત કરવા માટે અમારી પાસે તેનો ફોરેન્સિક રિપોર્ટ પણ છે. જે દર્શાવે છે કે આ તમામ પિક્ચર્સ ફરિયાદીએ પોતે જ લીધા છે અને કારમાં રેપ થયો હોય તેવું દર્શાવવા માટે બેકગ્રાઉન્ડથી લઈને અનેક વસ્તુઓનું એડિટિંગ કરવામાં આવ્યું છે.’

જ્યારે ફરિયાદીએ આ મામલે પોતાના કથિત બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયા, વૃષભ મારુ અને યામિનિ નાયર સહિતના 7 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ગત 26 જૂનના રોજ યુવતીએ નોંધાવેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે શહેરના ઝાંસીની રાણી વિસ્તાર નજીકથી ત્રણ મહિના પહેલા તેનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

પોલીસએ જણાવ્યું કે, ફરિયાદીએ આપેલા તમામ પૂરાવાઓ અને નિવેદનને એકબીજા સાથે મેચ કરવા જતા અનેક જગ્યાએ કડીઓ ખૂટે છે. તેમજ પૂરાવાના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે ત્યાં સુધી કે ઇન્સ્ટાગ્રામ તસવીરો પણ જુદી જુદી જગ્યાએથી લઈને એડિટ કરવામાં આવી છે જેના ઇન્ટનેટ કનેક્શનથી લઈને IP એડ્રેસની માહિતી પોલીસ પાસે છે. જ્યારે ઘટનાના દિવસે યુવતિનું ફોન લોકેશન પણ ઝાંસીની રાણી નહીં પરંતુ પોતાના ઘરની આસપાસ જ દેખાડે છે. તેમજ ફરિયાદીએ ગૌરવને લખેલા એક પત્રની કોપી એને તેને મોકલવા માટે કુરિયર ઓફિસમાં જતી ફરિયાદીની ફૂટેજ પણ છે. જોકે આ અંગે વધુ જણાવવાની ના પાડતા કહ્યું કે, હાઈકોર્ટમાં આ લેટરની પણ કોપી સીલ્ડ કવરમાં આપી હોવાથી હાલ તેની વધુ માહિતી જાહેર કરી શકાય નહીં.

You Might Also Like…

રાજકોટનો રંગીલો માસ્તર: પહેલા સ્કૂલની, અને હવે કોલેજની છોકરીને લઈ ભાગી ગયો

રાજકોટઃ કેટલાક એવા ગુનેગારો હોય છે જેઓ ગમે તેટલીવાર જેલમાં જાય પરંતુ જેવા બહાર આવે એટલે પહેલું કામ પોતાના એ ગુનાના રસ્તે ચાલવાનું જ કરે. આવો જ કિસ્સો રાજકોટ મુખ્ય જેલમાં આજીવન કારવાસની સજા ભોગવી રહેલા 50 વર્ષીય શિક્ષકે ફરી એ જ પરાક્રમ કર્યું છે જેના માટે તેને જેલ થઈ હતી.

નરાધમ ધવલ ત્રિવેદીને ધો.11માં ભણતી અને રાજકોટ નજીક પડધરી ખાતે હોસ્ટેલમાં રહેતી બે વિદ્યાર્થીનીઓને ભગાડી જવા અને તેમની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ગત 23 માર્ચના રોજ આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી. ત્રીવેદીએ 2010થી પાછલા 8 વર્ષમાં અત્યાર સુધીમાં 8 છોકરીઓને પોતાની જાળમાં ફસાવી છે. હવે આ વખતે ચોટીલા રહેતી કોલેજના બીજા વર્ષની છોકરીને નરાધમ ભગાડી જવામાં સફળ થયો છે.

ચોટિલા રહેતી અને રાજકોટની કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતાની જાળમાં ભોળવી હતી. યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ 11 ઓગસ્ટના રોજ નરાધમ ત્રિવેદી યુવતીને ભગાડી ગયો છે. જ્યારે પેરોલ પર રહેલા ધવલને તેના બીજા જ દિવસે એટલે કે 12 ઓગસ્ટના રોજ જેલમાં ફરીથી હજર થવાનું હતું. તેને 28 જુલાઈના રોજ 15 દિવસના પેરોલ મળ્યા હતા.

જેલમાંથી છૂટતા જ ધવલે પોતાને જેલમાં હત્યાના ગુનામાં મળેલા ચોટિલાના જયદીપ ધાંધલનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેની મદદથી ચોટિલામાં એક જગ્યા ભાડે લઈને તેણે ઇંગ્લિશ કોચિંગ ક્લાસ શરુ કર્યા હતા. જ્યાં તેણે પોતાની ઓળખ ધર્મેન્દ્ર સર તરીકે આપી હતી. તેની સાથે ભાગી જનાર યુવતિ પણ આ જ ક્લાસમાં આવતી હતી.

યુવતિના ગૂમ થયા બાદ પરિવારે 4 દિવસ સુધી તેની શોધખોળ ચલાવી હતી. જે બાદ અંતે પોલીસમાં 15મી ઓગસ્ટના દિવસે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પોતાની રીતે તપાસ કરતા ટ્યુશન ક્લાસ નજીકના CCTV ફૂટેજ સ્કેન કરવામાં આવતા ખબર પડી કે ધર્મેન્દ્ર સર ખરેખરમાં ધવલ ત્રિવેદની નામનો રીઢો ગુનેગાર છે.

ચોટિલા પહોંચીને ધવલે સૌથી પહેલા ધાંધલનો સંપર્ક સાધી ઇંગ્લિશ સ્પિકિંગના ટ્યુશન ક્લાસ શરુ કર્યા અને દોવા કર્યો કે તેના ટ્યુશનમાં 3 મહિના પૂરા ભણવાથી તમામને નોકરી મળી જશે. દરરોજના એક કલાકના ક્લાસમાં પીડિતાની સાથે અન્ય 9 છોકરી પણ આવતી હતી. જે પૈકી પીડિતાને ત્રિવેદીએ દરરોજ એક કલાક વહેલી બોલાવવાનું શરુ કરી દીધું અને પછી તેને પોતાની જાળમાં ફસાવી ભગાડી જવામાં સફળતા મેળવી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ત્રિવેદીનો મોબાઈલ છેલ્લે અમદાવાદમાં ચાલુ હોવાનો જાણવા મળ્યું હતું. જેમાંથી તેણે ભાવનગર ખાતે રહેતા અને જેલમાં મળેલા ગૌરી શંકરને ફોન કરીને રુ.10000 અમદાવાદ આંગડીયામાં મંગાવ્યા હતા અને ત્યારબાદ પોતાનો ફોન સ્વિચઓફ કરી દીધો હતો. પોલીસ માની રહી છે કે તેણે નવો ફોન અને નવો નંબર લઈને જુનો ફોન નાખી દીધો છે. જ્યારે યુવતીને લઈને ગુજરાતની બહાર ભાગી ગયો છે. આ પહેલા પણ ધો. 11ની બંને બાળકીઓને લઈને નરાધમ જુદી જુદી જગ્યાએ ફર્યો હતો અને બે વર્ષની રઝળપાટના અંતે પંજાબથી તેને પકડી પાડવામા સફળતા મળી હતી.

You Might Also Like…

હાર્દિકથી અલગ પડેલી ‘પાસ’ની ટીમે કરી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાત, હાર્દિકને ન કરી જાણ

અમદાવાદઃ 19 ઓગસ્ટના રોજ પાસ નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓનો ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો. હાલ હાર્દિક 25 ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હાર્દિકથી અલગ થયેલા પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના 40 સભ્યોએ પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાના નેતૃત્વમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે.

14 શહીદ પાટીદારોના પરિવારને ન્યાય અને અનામત આંદોલનમાં જોડાવા કરી અપીલ

ગુજરાતમાં હાલ બે અલગ-અલગ પાસ દ્વારા પાટીદારો માટે અનામતની માંગ કરવામાં આવી રહી છે. જેમાં હાર્દિક પટેલની પાસ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ કરી રહી છે. જ્યારે દિલીપ સાબવાના નેતૃત્વમાં ‘આપ’ના ટોચના નેતાઓને દિલ્હી મળવા પહોંચેલા પાસના સભ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના વરીષ્ઠ નેતા શરદ યાદવને મળી 14 શહીદ પાટીદારોના પરીવારને ન્યાયની સાથે અનામતની માંગના આંદોલનમાં જોડવા માટે અપીલ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી સહિત જજ અને IAS-IPSને પણ મળશે

આ દરમિયાન દિલીપ સાબવા અને તેની ટીમ રાહુલને પણ પોતાના આંદોલનમાં જોડાવા અપીલ કરશે. તેઓ માત્ર નેતાઓ જ નહીં પણ હરિયાણાના ગુર્જર નેતા અને કુર્મી પાટીદાર સમાજના પૂર્વ જજ, આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓને પણ પોતાની સાથે જોડાવવાની અપીલ કરશે

ખ્યાતનામ વકીલો પાસે જાણશે શહીદોના પરિવારને ન્યાય અપાવવાની કાયદાકીય પ્રક્રિયા

આ સિવાય તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ આકાશ કાકડે અને રામ જેઠમલાણીને મળી 14 શહીદોના પરીવારોને ન્યાય અપાવવા કાયદાકીય પ્રક્રિયા જાણી ગુજરાત સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ કરી રહી છે.

બન્ને પાસની ટોપીમાં જોવા મળ્યો તફાવત

બન્ને પાસમાં જોવા મળતા તફાવત અંગે વાત કરીએ તો હાર્દિકની પાસના સભ્યોની ગાંધી ટોપી પર માત્ર જય સરદાર, જય પાટીદારનો નારો તો દિલ્હી પહોંચેલી પાસ ટીમની ટોપી પર જય સરદારની સાથે યુદ્ધ એ જ કલ્યાણનો નારો જોવા મળી રહ્યો છે.

આજથી 4 વર્ષ પહેલાં શરૂ થયેલી અનામતની લડાઈમાં 14 પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાર્દિક બે વર્ષ સુધી આ મૃતક યુવાનોના પરીવારને ન્યાય અપાવવા માટેની માંગ કરતો રહ્યો હતો. જોકે બાદમાં તેણે આ મુદ્દો છોડી રાજકીય ચોકઠા ગોઠવવાનું શરું કર્યું હતું

You Might Also Like…

આ છે ડાયમંડ ટાયકૂન ગોંવિદભાઈ ધોળકિયાની ઓફિસ, જુઓ અંદરનો ‘હાઈટેક’ નજારો

સુરતમાં ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે ધોળકિયા પરિવારનું નામ આગવી હરોળમાં રાખવામાં આવે છે. ‘ગોવિંદ ભગત’ કે ‘ગોવિંદકાકા’ના નામે જાણીતા રામકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ આજે શૂન્યમાંથી મોટું સર્જન કર્યું છે. બિઝનેસ ફેલાવવાની સાથે તેમણે પોતાની ઓફિસ-ફેક્ટરીને પણ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ બનાવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસઆરકે એમ્પાયરને બહારથી જોતા જ અંદરની રોનકનો અંદાજો લગાવી શકાય તેવો છે. કર્મચારીઓ માટેની તમામ સુવિધાઓ સાથે તેમના ભોજનની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામાં આવે છે. અમે તમને સુરતના આ ડાયમંડ કિંગ અને તેમની ઓફિસ વિશેની જાણકારી આપી રહ્યા છીએ.

જુઓ એસઆરકે એક્સપોર્ટની ઓફિસનો અંદરનો નજારો

જુઓ એસઆરકે એક્સપોર્ટની ઓફિસનો અંદરનો નજારો

સૌરાષ્ટ્રમાંથી નાની ઉંમરે આવ્યાં સુરત

સંત-શૂરાની ભૂમિ તરિકે ઓળખાતા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલા દૂધાળા ગામે ધોળકીયા પરિવારના સંતોકબા અને લાલજીભાઈ ધોળકીયાના ઘરે ગોવિંદભાઈનો જન્મ 7-11-1947ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-7 સુધીનો અભ્યાસ કરી ગોવિંદભાઈએ નાની ઉંમરે હીરાનું કામકાજ શીખવા માટે સુરત આવી ગયા હતાં. સુરતમાં 52 વર્ષથી હીરા સાથે સંકળાયેલા ગોવિંદભાઈને આજે સૌ કોઈ માટે ગોવિંદકાકા તરિકે ઓળખે છે.

જુઓ એસઆરકે એક્સપોર્ટની ઓફિસનો અંદરનો નજારો

સફળતાના સુત્રો

હીરા ઉદ્યોગની અપાર સફળતા વિષે ગોવિંદ ધોળકિયા કહ્યું કે, એક સાચી વાત કહું તો મને મેનેજમેન્ટ કરતાં જ નથી આવડતું. પણ આ સિધ્ધાંતો હોય શકે. કર ભલા તો હો ભલા. સંપતિ અને સંતતિ પ્રારબ્ધ અનુસાર મળે છે. તેના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. સત્યને કોઈ સાક્ષીની જરૂર નથી. જેને ભાઈમાં ભગવાન નથી દેખાતા તે દેશની કે દેવની સેવા ન કરી શકે. દુનિયાને બદલવા કરતાં જાતને બદલો.દરેકને માન આપો નાનામાં નાની વ્યક્તિને પણ પુરતું માન આપશો તો એ ક્યારેય તમારું અહિતનું નહીં વિચારે.

જુઓ એસઆરકે એક્સપોર્ટની ઓફિસનો અંદરનો નજારો

આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથીંગ

એસઆરકે કંપનીના ગેટથી લઈને વિવિધ જગ્યાએ આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથિંગ લખેલું સુત્ર જોવા મળે છે. આ સુત્ર વિષે ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ સુત્ર હ્રદયમાંથી નીકળ્યું હતું. લોકોને તક મળતી નથી. જેથી જેમને તક મળી છે એમને છકી ન જવું કારણ કે તેની નીચે કામ કરનારા લોકો તેના કરતાં વધારે હોંશિયાર હોય છે. અને બધાને બધી ખબર હોતી નથી. પરંતુ એક હજાર દિવસની ટ્રેનિંગ લેવાથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. માટે આપણે કંઈ નથી પરંતુ પ્રયત્ન અને સાતત્યતાથી કામ કરતાં આપણે પણ અશક્યને શક્યમાં પરિવર્તીત કરી શકીએ છીએ. અને આ સુત્ર આપણને મોટાઈથી પણ બચાવે છે અને જમીન સાથે જોડી રાખતું હોવાનું ગોવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું.

જુઓ એસઆરકે એક્સપોર્ટની ઓફિસનો અંદરનો નજારો

સેવાકીય કાર્યોનો વહાવે છે ધોધ

ગોવિંદભાઈ ધોળકીયા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. દિવસની શરૂઆતમાં જ તેઓ ગોધાણી સ્કૂલમાં જરૂરીયાતમંદ લોકોની સેવા કરવાની સાથે કરે છે. તો જંગલમાં દુર્ગમ ગણાતા સ્થળો પર પણ તેઓ છાસવારે પહોંચીને આદિવાસીઓને કપડાથી લઈને ભોજન, મેડિકલ કેમ્પના આયોજન કરતાં રહે છે. વળી, આદિવાસી વિસ્તારમાં પૂજાના સ્થળ ગણાતા મંદિરો બનાવવામાં પણ મોખરે છે તો મોટી દુર્ઘટનાઓમાં પણ તેઓ હંમેશા આગળ રહે છે. કચ્છના ભૂકંપ વખતે બે ગામ બનાવી આપ્યાં હતાં. શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના સામાજિક સેવાકીય કાર્યોમાં તેઓ હંમેશા મોખરે રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker