ગેરકાયદેસર બાંધકામની ફરીયાદ કરનાર પાડોશી વૃદ્ધને 5 લોકોએ મોતને ઘાટ ઉતાર્યા

અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી રક્ત રંજીત બન્યો છે. આ વિસ્તારમાં લોકો નાની-નાની બાબતોમાં કોઈનું ખૂન કરતા અટકાતા નથી. આવી જ વધુ એક કરૂણ ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે.

વાત છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની. આ વિસ્તારની એક સોસાયટીમાં પાડોશી દ્વારા પોતાના પાડોશીના ગેરકાયદેસર બાંધકામની ફરીયાદ કરવામાં આવી હતી. જે વડીલે પોતાના પાડોશીના ગેરકાયદેસર કામની ફરીયાદ કરી હતી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ વૃદ્ધની ઉંમર 65 વર્ષની છે.

ગેરકાયદેસર બાંધકામ બાબતે 5 શખ્સોએ રાજારામ મદ્રાસીને હાટકેશ્વર તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને મોદીનગર પાસે હત્યા કરી હતી. પોલીસે હાલ 5 આરોપીઓ ચંદ્રકાન્ત ઉર્ફે ચંદુ નાયકર , ચૈનૈયા નાયકર, નિહાલ નાયકર અને જેમ્સ નાયકરન અને પંકજ ચુનારાને હસ્તગત કર્યા છે.

Scroll to Top