અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાતઃ વિધાનસભામાં 182 સીટો પર પાર્ટી લડશે ચૂંટણી

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે એકવાત સ્પષ્ટ છે કે, આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધારે મજબૂત રીતે ઉભરીને આવશે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે.

જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે મિટિંગ મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે.

આમ આદમી પાર્ટી હવે દિલ્હી બાદ ગુજરાતમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાના મૂડમાં છે અને આ માટે અનેક પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. સમાજના અલગ અલગ વર્ગના અને પ્રતિષ્ઠિત લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. પાર્ટી પાસે રાજકીય અનુભવ છે કારણ કે દિલ્હીમાં તેમની સરકાર છે. પરંતુ પાર્ટી હવે એવા લોકોને શોધી રહી છે કે જેઓ ગુજરાતની રાજનીતિમાં પાર્ટીને મજબૂતાઈથી આગળ ધપાવી શકે.

ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ આઝાદીની લડાઇમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને અનેક નેતાઓ પણ આપ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે અનેક પ્રાંતમાં વહેંચાયેલો હતો પરંતુ સરદાર પટેલે તેને અખંડ કર્યો હતો. જ્યારે કોઇની કારકિર્દી પૂર્ણ થાય ત્યારે તે રાજકારણમાં જોડાઇ તે સ્વાભાવિક છે પરંતુ જોઇ કોઇ પોતાની મધ્યાહને તપતી કારકિર્દી છોડીને રાજકારણમાં જોડાઇ તો સમજજો કે તે પ્રજા માટે જોડાઇ છે. સૌથી મોટું નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી 182 સીટો પર પોતાના ધારાસભ્યો ઉભા રાખશે.

Scroll to Top