AhmedabadCentral GujaratGujaratNews

ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલના ફાર્મ-હાઉસ પર જમણવાર, પુરી-શાક જમવા લાગી લાઈન

3 વાગ્યે શરૂ થવા જઈ રહેલા આમરણાંત ઉપવાસ પહેલા હાર્દિક પટેલના વૈષ્ણોદેવી સ્થિત છત્રપતિ નિવાસે જમણવાર કરવામાં આવ્યો હતો. હાર્દિકના ઘરે હાજર લોકોએ પુરી અને શાકની મજા માણી હતી.

હાર્દિકે કહ્યું પોલીસે દૂધ-પાણી નથી લાવવા દીધું, તો જમણવાર કેમ થયો?

જો કે આ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે સરકાર પર અનેક આરોપો મુકતા જણાવ્યું હતું કે, પોલીસ મંડપનો સામાન, દૂધ અને પાણી સહીતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને પણ ફાર્મ હાઉસમાં લાવવા દેતી નથી. પરંતુ હાર્દિકની પત્રકાર પરિષદના થોડા સમય બાદ તેમના ઘરે જમણવાર શરૂ થતા તેના આરોપો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આંદોલન પર 3 DCP, 8 ACP, 35 PI, 200 PSIની ચાંપતી નજર

હાર્દિક પટેલના ઉપવાસને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે SRPની ત્રણ ટૂકડી ખડે પગે કરી દેવામાં આવી છે. આ સાથે 3 DCP, 8 ACP, 35 PI, 200 PSI અને 3000 પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયામાં હાર્દિકના ઉપવાસને પગલે કોઈ ખોટા મેસેજનો ફેલાવો ન થાય તે માટે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભૂતકાળમાં પણ પોલીસે પાટીદાર આંદોલનો વખતે ઇન્ટરનેટ બંધ સુધીના પગલાં ભર્યા છે.

હાર્દિકની ટીમે ઉપવાસ માટે 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કર્યું

આજે હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેણે આજથી લઈને આગામી 6 તારીખ સુધી ઉપવાસનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. તેમાં કયા વિસ્તારના પાટીદારો સમર્થનમાં જોડાશે તેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો અને સવર્ણો પણ 28મીએ હાજર રહેશે તેવું જાહેર કરાયું છે. સાથે જ એ સિવાયના પાટીદારોને પણ ગમે ત્યારે ઉપવાસમાં જોડાવવા માટે આહવાન કર્યું છે.

તબક્કાવારનું 13 દિવસનું હાર્દિકના ઉપવાસનું શિડ્યુઅલ

25 ઓગસ્ટ – સમગ્ર ગુજરાત માંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

26 ઓગસ્ટ – સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.

27 ઓગસ્ટ – માણાવદર , જામજોધપુર , ભેંસાણ , વિસાવદર , કેશોદ , લાલપુર , કાલાવડ , ધ્રોલ , જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે.

28 ઓગસ્ટ – મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર , વડાલી , ઇડર , તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.

29 ઓગસ્ટ – ટંકારા , મોરબી , માળિયા , પડધરી , હળવદ , વાંકાનેર , લોધિકા , કોટડા-સાંગાણી , જસદણ , ગોંડલ , જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

30 ઓગસ્ટ – જુનાગઢ , સોમનાથ , ગીર ગઢડા , ભાયાવદર , પાનેલી , વંથલી , માળીયા , મેંદરડા , તાલાલા , બાબરા , લાઢી , સાવરકુંડલા , બગસરા , ધારી , ખાંભા , લીલીયા , અમરેલી , રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.

31 ઓગસ્ટ – ભાવનગર , ઘોઘા , સિહોર , ગારિયાધાર , પાલિતાણા , સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

01 સપ્ટેમ્બર – બહુચરાજી , લખતર , ધોળકા , બાવળા , સાણંદ , માણસા , ગોઝારીયા , વિસનગર , સતલાસણા , વિજાપુર , કલોલ , ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.

02 સપ્ટેમ્બર – અમદાવાદ , માંડલ , દેત્રોજ , વિરમગામ , દસક્રોઈ , પાટડી , વઢવાણ , મુળી , ચોટીલા , સાયલા , ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.

03 સપ્ટેમ્બર – સિદ્ધપુર , પાટણ , પાલનપુર , રાપર , ભુજ , નખત્રાણા , ગાંધીધામ , કડી , વડનગર , મહેસાણા , તેનપુર , બાયડ , માલપુર , મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

04 સપ્ટેમ્બર – કુતિયાણા , જુનાગઢ , બોટાદ , ગઢડા , વલભીપુર , ઉમરાળા , લુણાવાડા , શહેરા , ગોધરા , હાલોલ , કાલોલ , કડાણા , ખાનપુર , સંખેડા , ડભોઈ , કરજણ , પાદરા , સિનોર , વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

05 સપ્ટેમ્બર – કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

06 સપ્ટેમ્બર – ભરૂચ , જબુસર , આમોદ , ઝઘડિયા , નવસારી , વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker