AhmedabadCentral GujaratGujaratNewsPolitics

‘ભારતીય જનતા પાર્ટીનું સાશન અંગ્રજો કરતા પણ ખરાબ છે’: કોંગ્રેસના ધારાસભ્યોનું હાર્દિકને સમર્થન

અમદાવાદ: આમરણાંત ઉપવાસને પગલે હાર્દિકના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પાસ કન્વિનરોના જણાવ્યા પ્રમાણે પોલીસ રિસોર્ટમાં આવી રહેલા લોકોને અટકાવી રહી છે. તેમજ તેમના બહાર જ બેસાડી રાખવામાં આવ્યા છે. બીજી તરફ હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તેના ઘરે પહોંચ્યા હતા.

પોલીસને કરી રજુઆત

હાર્દિકના ઘરે પહોંચેલા લલિત વસોયા, લલિત કગથરા અને કિરિટ પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્રણેય ધારાસભ્યોએ અહીં હાજર પોલીસ અધિકારીઓ સાથે લોકોને રિસોર્ટમાં પ્રવેશ આપવા દેવાની રજુઆત કરી હતી. જે બાદમાં પોલીસે અમુક લોકોને પ્રવેશ આપ્યો હતો.

પોલીસે બેસાડી રાખ્યાનો લોકોનો આક્ષેપ 

હાર્દિકના ઘર બહાર મોટી સંખ્યામાં લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને બે-ત્રણ કલાકથી બેસાડી રાખવામાં આવ્યા છે. તેમને અંદર જવા દેવામાં નથી આવતા. લલિત વસોયા અને લલિત કગથરાએ દરમિયાનગીરી કરતા પોલીસે થોડા લોકોને પ્રવેશ આપ્યો હતો.

અમદાવાદની આસપાસના વિસ્તારો તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ લોકોને રોકી રહી છે, અયોગ્ય છે. અમે હાર્દિકને સમર્થનની સાથે સાથે પોલીસને રજુઆત કરવા માટે આવ્યા છીએ. સરકાર બિનઅધિકૃત રીતે લોકોને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લોકોને રોકવા ન જોઈએ. – લલિત વસોયા

એક તરફ સરકાર કહે છે કે હાર્દિકને જનસમર્થન નથી. પાટીદાર સમાજનું સમર્થન નથી. જો સરકારને એવું હોય તો આટલી બધી પોલીસ શા માટે ખડકી દેવમાં આવી છે? ઘરે ઉપવાસ પર બેસવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. સરકાર કાયદાનો ગેરઉપયોગ કરી રહી છે. આટલી પોલીસ ખડકી દેવી તેનો અર્થ એવો થાય છે કે સરકાર ડરી ગઈ છે. – કિરિટ પટેલ

ભારતીય જનતા પાર્ટીનું સાશન અંગ્રજો કરતા પણ ખરાબ છે. ઉપવાસ આંદોલન કરવાની છૂટ પણ ન આપવામાં આવતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની વાત જ નથી આવતી. સરકારે કેમ પણ કરીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાવણની જેમ સરકારનું અભિમાન ફાટી ગયું છે. અમારી સામે કોઈ બોલવું ન જોઈએ, કોઈ આંદોલન કરવું ન જોઈએ તેવી નીતિ પર સરકાર કામ કરી રહી છે. આ દાદાગીરીનો નમુનો છે. સરકારે રજુઆત કરવા દેવી જોઈએ. અમે તેમના સમર્થનમાં આવ્યા છીએ. ગુજરાતની અંદર લોકશાહીનું સ્થાપન કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. – લલિત કગથરા

રાજ્યમાં 144ની કલમ લાગુ

હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે.

હાર્દિકની ટીમે ઉપવાસ માટે 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કર્યું

આજે હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેણે આજથી લઈને આગામી 6 તારીખ સુધી ઉપવાસનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. તેમાં કયા વિસ્તારના પાટીદારો સમર્થનમાં જોડાશે તેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો અને સવર્ણો પણ 28મીએ હાજર રહેશે તેવું જાહેર કરાયું છે. સાથે જ એ સિવાયના પાટીદારોને પણ ગમે ત્યારે ઉપવાસમાં જોડાવવા માટે આહવાન કર્યું છે.

હાર્દિક પટેલને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બેસીને ઉપવાસ કરવાની મંજૂરી માંગી હતી પણ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે પોલીસ અભિપ્રાયના આધારે મંજુરી આપી નથી.

પરવાનગી ન આપવી તે મારા માટે નહીં સરકાર માટે શરમજનક વાતઃ હાર્દિક

હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.

વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી અને એકે પટેલને આપ્યા સોલવન્સી જામીન

વિસનગરમાં MLA ની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલે રૂ.20 હજાર ભરીને સોલવન્સી જામીન મેળવ્યા છે. આ અગાઉ ત્રણેયને વિસનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમને ત્રણ કલાકમાં જ જામીન મળ્યા હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો.

તબક્કાવારનું 13 દિવસનું હાર્દિકના ઉપવાસનું શિડ્યુઅલ

25 ઓગસ્ટ – સમગ્ર ગુજરાત માંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

26 ઓગસ્ટ – સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.

27 ઓગસ્ટ – માણાવદર , જામજોધપુર , ભેંસાણ , વિસાવદર , કેશોદ , લાલપુર , કાલાવડ , ધ્રોલ , જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે.

28 ઓગસ્ટ – મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર , વડાલી , ઇડર , તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.

29 ઓગસ્ટ – ટંકારા , મોરબી , માળિયા , પડધરી , હળવદ , વાંકાનેર , લોધિકા , કોટડા-સાંગાણી , જસદણ , ગોંડલ , જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

30 ઓગસ્ટ – જુનાગઢ , સોમનાથ , ગીર ગઢડા , ભાયાવદર , પાનેલી , વંથલી , માળીયા , મેંદરડા , તાલાલા , બાબરા , લાઢી , સાવરકુંડલા , બગસરા , ધારી , ખાંભા , લીલીયા , અમરેલી , રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.

31 ઓગસ્ટ – ભાવનગર , ઘોઘા , સિહોર , ગારિયાધાર , પાલિતાણા , સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

01 સપ્ટેમ્બર – બહુચરાજી , લખતર , ધોળકા , બાવળા , સાણંદ , માણસા , ગોઝારીયા , વિસનગર , સતલાસણા , વિજાપુર , કલોલ , ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.

02 સપ્ટેમ્બર – અમદાવાદ , માંડલ , દેત્રોજ , વિરમગામ , દસક્રોઈ , પાટડી , વઢવાણ , મુળી , ચોટીલા , સાયલા , ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.

03 સપ્ટેમ્બર – સિદ્ધપુર , પાટણ , પાલનપુર , રાપર , ભુજ , નખત્રાણા , ગાંધીધામ , કડી , વડનગર , મહેસાણા , તેનપુર , બાયડ , માલપુર , મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

04 સપ્ટેમ્બર – કુતિયાણા , જુનાગઢ , બોટાદ , ગઢડા , વલભીપુર , ઉમરાળા , લુણાવાડા , શહેરા , ગોધરા , હાલોલ , કાલોલ , કડાણા , ખાનપુર , સંખેડા , ડભોઈ , કરજણ , પાદરા , સિનોર , વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

05 સપ્ટેમ્બર – કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

06 સપ્ટેમ્બર – ભરૂચ , જબુસર , આમોદ , ઝઘડિયા , નવસારી , વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker