તમને જાણકારી હશે કે કોરોનાં ના લક્ષણો માં વારંવાર ફેરફાર થતો જોવા મળે છે. જેના કારણે ડોક્ટરો ને પણ દર્દીઓ ની સારવાર કરવામાં તફલિક પડે છે. દેશ માં સતત કોરોના આંતક ફેલાવી રહ્યો છે. કોરોના વાયરસના શરૂઆતી લક્ષણમાં સૂકી ખાંસી, તાવ અને શ્વાસને લગતી સમસ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતુ. પરંતુ હવે આ બીમારીના બીજા નવા લક્ષણ પણ સામે આવ્યા છે. અમેરિકાના હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સીડીસી સેન્ટર્સ ફૉર ડિસીઝ એન્ડ પ્રીવેન્શન એ છ નવા લક્ષણ જાહેર કર્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે છીંક કે ઉધરસથી જ સંક્રમણ નથી ફેલાતું પણ કોઈ ની સાથે વાતો કરવાથી પણ ફેલાય છે જાણીને કે કેવી રીતે ફેલાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઓફિસ અથવા સંપૂર્ણ રીતે બંધ ટ્રેનમાં કોરોનાવાઈરસ માત્ર વાત કરવાથી પણ ફેલાય છે. માસ્ક વગર વાત કરવાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે રહે છે.
છીંકવાથી અથવા ઉધરસ ખાવાથી જ વાઈરસ નથી ફેલાતો નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોઈની સાથે વાત કરતી વખતે કોરોનાવાઈરસ ફેલાઈ શકે છે, જરૂરી નથી કે સામેવાળી વ્યક્તિ છીંકે અથવા ઉધરસ ખાય તો જ વાઈરસ ફેલાય. બંધ જગ્યામાં વાત કરતી વખતે તે સરળતાથી ફેલાઈ શકે છે.
આવા ડ્રોપ્લેટ્સ એક જગ્યાએ રહે છે લેસિસ્ટર યુનિર્સિટીના શ્વાસ રોગ નિષ્ણાત ડો. જુલિયન ટેગના જણાવ્યા પ્રમાણે, વાત કરતી વખતે મોંમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ એક જ જગ્યાએ રહે છે, તે જોખમી છે. જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોંમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ 22 ફૂટ સુધી ફેલાઈ શકે છે.
અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં આવી સ્થિતિ સામાન્ય સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ સમસ્યા અંડરગ્રાઉન્ડ ટ્રેનોમાં સામાન્ય છે, જે ચારે બાજુથી બંધ હોય છે. તેની અંદર સપાટી પર રહેલો વાઈરસ જોખમી સાબિત થઈ શકે છે. વાત કરતી વખતે તે સીટ, બટન અને હેન્ડલ જેવી જગ્યાઓ પર ચોંટી જાય છે.
બજાર માં ઘણા પ્રકાર ના માસ્ક મળે છે પણ કપડાંના માસ્કથી 99 ટકા સુધી સંક્રમિત કણોથી બચી શકાય છે કેનેડાના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કપડાના માસ્કથી પણ 99 ટકા સુધી સંક્રમિત કણોને અટકાવી શકાય છે, ખાસ કરીને જ્યારે તમે ભીડમાં હો છો. તમે જ્યાં જાઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરથી કરવું.
દેશ માં કોરોના કેસ માં ઝડપ થી વધારો થઈ રહ્યો છે. હાલ દેશ માં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જ બહાર નીકળું એજ એનો એક સારો ઉપાય છે કારણ કે હાલ સુધી કોઈ કોરોના ની વેક્સીન શોધાઈ નથી જેથી સરકાર ની ગાઈડ લાઇન મુજબ ચાલવું જરૂરી છે.