ખૂબજ રોચક છે કોણાર્કમાં સૂર્ય મંદિરના આ ખાસ રહસ્યો: શું તમે જાણો છો તેના વિષે?

કોણાર્કના સૂર્ય મંદિર ઓડિશા માં આવેલું એકમાત્ર સૂર્યમંદિર છે. આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે. જે ભારતનો પ્રાચીન વારસો છે. આ મંદિરની ભવ્યતાને કારણે તેની ગણતરી દેશના 10 સૌથી મોટા મંદિરોમાં થાય છે. કોનાર્કમાં સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરથી લગભગ 23 માઇલ દૂર વાદળી પાણીથી ભરેલી ચંદ્રભાગા નદીના કાંઠે આવેલું છે.

આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે જાણે રથમાં 12 વિશાળ પૈડા લગાવવામાં આવ્યા હોય અને રથને 7 શક્તિશાળી મોટા ઘોડાઓ ખેંચી રહ્યા હોય અને આ રથ પર સૂર્યદેવતા ને બેસાડવામાં આવે છે. મંદિરની ટોચ પરથી ઉગતો અને આથમતો સૂર્ય સંપૂર્ણપણે જોઈ શકાય છે.

સૂર્ય ઊગે ત્યારે મંદિરનું દૃશ્ય ખૂબ જ સુંદર લાગે છે. એવું લાગે છે કે જાણે સૂર્યમાંથી નીકળેલી લાલાશ આખા મંદિરમાં લાલ અને નારંગી ફેલાઈ ગઈ છે. બીજી તરફ મંદિરના આધારને સુંદર બનાવતા બાર ચક્ર વર્ષના બાર મહિનાને વ્યાખ્યાયિત કરે છે અને દરેક ચક્રમાં આઠ આર હોય છે, જે દિવસના આઠ કલાકનું પ્રતિનિધિત્વ કરે છે.

એવું કહેવામાં આવે છે કે મંદિરની ટોચ પર 52 ટનનું ચુંબક મૂકવામાં આવ્યું હતું જે મંદિરના સ્તંભો દ્વારા સંતુલિત કરાયું હતું. આ કારણે ભગવાન સૂર્યની પ્રતિમા હવામાં તરતી હતી, જેનાથી બધાને આશ્ચર્ય થયું હતું. આ ચુંબક વિદેશી આક્રમણકારોએ તોડી નાખ્યું હતું. કહેવાય છે કે, દરિયામાંથી પસાર થતી લોખંડથી બનેલી હોડીને મંદિરની ટોચ પર મૂકવામાં આવેલા ચુંબકને કારણે આ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં કિનારા સુધી ખેચાઈ આવતી હતી.

Scroll to Top