દૂધીનું શાક ભાગ્યેજ કોઈને ભાવતું હશે. પરંતુ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે દૂધી ખાવાથી આપણા શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. તેમા પણ ખાસ કરીને દૂધી ખાવાથી વિટામીન બી, વિટામિન સી અને આર્યન જેવા તત્વો આપણાને મળી રહેતા હોય છે. ખાસ કરીને દૂધી ખાવાથી આપણા શરીરને ગંભીર બિમારીઓ સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે. જેના કારણે લોકો સવારના સમયે દૂધીનું જ્યુસ પીવાની ઈચ્છા રાખતા હોય છે.
દૂધીની ખેતી સૌથી પહેલા ભારતમાંજ થઈ હતી. ત્યારબાદ તેની ખેતી શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ચીન, સાઉથ અમેરિકા અને આફ્રીકા જેવા દેશોમાં કરવામાં આવી. પંજાબમાં દૂધીની સૌથી વધારે ખેતી થાય છે. દૂધી સામાન્ રીતે બે પ્રકારની જોવા મળે છે. એક ગોળાકાર પ્રકારની અને બીજી જાડા ડંડા ટાઈપની. મોટા ભાગે લોકો બીજી પ્રકારની દૂધી હોય છે. તે ખાતા હોય છે. કારણકે ગોળાકાર દૂધી વધારે જગ્યાઓ પર મળતી નથી.
આતો વાત થઈ દૂધીના પ્રકાર વીશે. સાથેજ તેની ખેતી ક્યા થાય છે તેના વીશે પરંતુ હવે અમે તમને જણાવીશું કે દૂધી ખાવાથી તમને કયા કયા પ્રકારના લાભ મળી રહેશે.
લીવર માટે ફાયદાકારક
દૂઘી આપણા લીવર માટે સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવમ કરવાથી આપણા લીવરને ઘણો ફાયદો મલી રહે છે. સાથેજ લીવરની કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળતો હોય છે.
વધતાજ વજનથી રાહત
આજે મોટા ભાગના લોકો વધતા વજનને કારણે હેરાન થતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે દૂધીનાં 90 ટકા કરતા વધારે પાણી રહેલું હોય છે. સાથેજ તેમા માત્ર 12 ટકા જેટલી કૈલરી હોય છે. ઉપરથી તેમા ફાયબર પણઁ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે દૂધી ખાવાથી તમે તમારુ વજન ઉતારી શકશો.
બ્લડપ્રેશર
બ્લડપ્રેશરના દર્દીઓ માટેતો દૂધી વરદાન કહી શકાય. વરદાન એટલા માટે કારણકે તેમા સોડિયમ, પોટેશિયન અને અન્ય મિનરલ્સ રહેલા હોય છે. જેના કારમે તમારું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેતું હોય છે. ઉપરાંત તેના સેવનથી અન્ય બિમારીઓ સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે.
કબજિયાતથી રાહત
જે લોકોને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે. તેવા લોકોએ તો ખાસ કરીને દૂધીનું સેવન કરવું જોઈએ. કારણકે કબજીયાત જેવી સમસ્યા આપણા પેટમાં ફાઈબરના અભાવને કારણે થાય છે. દૂધીમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તમને તેનાથી રાહત મળી રહેશે. સાથેજ દૂધીનું જ્યુસ પીવાથી તમને એસિડિટી જેવી સમસ્યાથી પણ રાહત મળી રહેશે.