AhmedabadGujaratNewsPolitics

હાર્દિકનો હુંકાર ‘નિકોલમાં જ થશે આમરણાંત ઉપવાસ’, 19મીએ ગાડી પર પ્રતિક ઉપવાસ કરવા અપીલ

અમદાવાદઃ પાટીદારોને અનામત આપવા મુદ્દે ફરીએકવાર પાસ નેતા હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. જેને પગલે હાર્દિક પટેલે આજે આમરણાંત ઉપવાસ માટે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટે નિકોલ પાસેનું મેદાન માંગ્યું હતું, પરંતુ હજુ સુધી તેને મંજૂરી નથી જેને પગલે હાર્દિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું  હતું કે, સરકાર ઉપવાસના સ્થળની મંજૂરી આપે કે ન આપે પરંતુ ઉપવાસ તો નિકોલમાં જ થશે. તેમજ 19 ઓગસ્ટે ગાડી પર બેસીને પ્રતિક ઉપવાસ કરવાની અપીલ પણ કરી છે.

19 ઓગસ્ટે નિકોલમાં પ્રતિક ઉપવાસ

હાર્દિકે આજે ઉપવાસ આંદોલનના સ્થળને લઈને 19 ઓગસ્ટના રોજ સવારના 11 વાગ્યે નિકોલ ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસના પ્રથમ કાર્યક્રમમાં સૌ કોઈને ગાડી અથવા બાઈક લઈને હાજર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સત્યની લડાઈમાં સાથ આપવા વિનંતિ છે, આપણી હાજરી લડાઈને મજબૂત બનાવશે. ગાડી પર બેસીને ઉપવાસ કરીશું.

13 દિવસના કાર્યક્રમમાં ગુજરાતના 137 સ્થળો અને બીજા છ રાજ્યોથી આવશે લોકો

આ 13 દિવસ દરમિયાન વિવિધ જિલ્લા-તાલુકામાંથી પાટીદાર આગેવાનો આવીને હાર્દિક સાથે પ્રતિક ઉપવાસ કરશે. આ આમરણાંત ઉપવાસમાં રાજ્યભરના વિવિધ તાલુકા-જિલ્લાના 137 વિસ્તારોમાંથી અનેક લોકો આવશે. માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય છ રાજ્યોના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી શક્યતા છે. જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.

કયા દિવસે ક્યાંથી આવશે લોકો

25-8-2018- સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ હાજર રહેશે.

26-8-2018-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાર્દિક પટેલને રક્ષા બંધન નિમિત્તે રાખડી બાંધવા આવશે. ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઉંઝા, ભાણવડ, ચાણસ્મા

27-8-2018-માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામનગર

28-8-2018- મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ, પ્રાંતિજ

29-8-2018- ટંકારા, મોરબી, માળીયા, પડધરી,હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર, જામકંડોરણા

30-8-2018- જુનાગઢ, સોમનાથ, ગિર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઠી, સાવરકુંડલા, બગસરા,ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા, કુંકાવાવ,

31-8-2018- ભાવનગર, ઘોઘા,સિંહોર, ગારિયાધાર, પાલીતાણા, સુરત, તળાજા, મહુવા

1-9-2018- બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારિયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર, દહેગામ

2-9-2018- અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા, લીંબડી

3-9-2018-સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા, ધનસુરા.

4-9-2018- કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલ્લભીપુર,ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા, વડોદરા.

5-9-2018- કપડવંજ, વિરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, રાજપીપળા

6-9-2018-ભરૂચ, જંબુસર. આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ, અંકલેશ્વર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિકોલ વિસ્તારના પાંચ મોટા મેદાનને પાર્કિંગમાં ફેરવાયા

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિકોલ વિસ્તારના પાંચ મોટા મેદાનને પાર્કિંગ સ્લોટમાં ફેરવી કાઢ્યા છે.

હાર્દિકે સૌથી પહેલા શુકન ચારરસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી, પરંતુ ગયા અઠવાડિયે તે પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો. રવિવારના રોજ અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવવામાં આવ્યા.

આ ગ્રાઉન્ડ પર વાહન ફ્રીમાં પાર્ક કરી શકાશે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવના ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે પાટીદાર અનામત આંદોલન સમિતીના લીડર્સનું કહેવું છે કે હાર્દિક પટેલના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે સરકારના હસ્તક્ષેપથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાર્દિકે કહ્યું કે, સરકાર અને પ્રશાસને જાણીજોઈને તે ગ્રાઉન્ડ્સને પાર્કિંગ પ્લોટમાં ફેરવ્યા છે, પરંતુ મારા સમાજના લોકો અને હું લડવા માટે તૈયાર છીએ. હું નિકોલમાં જ ઉપવાસ કરીશ અને જો કોઈ અડચણ આવશે તો અમે અમારા અધિકારો માટે લડીશુ. જો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ન જળવાય તો પછી તેની જવાબદારી પોલીસ અને સરકારની રહેશે.

હાર્દિક પટેલ અને અન્ય પાસના સભ્યોએ પોલીસ કમિશનર એ.કે.સિંહ અને AMCના કમિશનર વિજય નેહરાની મુલાકાત લીધી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હાર્દિક જણાવે છે કે તે પોતાના કેસના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં ઉપવાસ પર ન બેસી શકે.

કોઈના ય બાપની તાકાત નથી કે ઉપવાસ આંદોલન રોકી શકે

જોકે ઉપવાસ માટે નિકોલમાં જે મેદાન હાર્દિકે ભાડે માગ્યું છે તેને પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ મુદ્દે હાર્દિકે ગુરુવારે જણાવ્યું છે કે, ૧૦મી ઓગસ્ટે ઉપવાસ આંદોલનની મંજૂરી સંદર્ભે તંત્રની મુલાકાત કરીશ. આ સાથે જ ભાજપને એવી ચીમકી ઉચ્ચારી છે કે, કોઈના બાપની તાકાત નથી કે ઉપવાસ આંદોલન રોકી શકે.

પાસ ટીમનું કહેવું છે કે, ઉપવાસ માટે ૫૦થી વધુ દિવસ પહેલાં કોર્પોરેશનના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, હવે આ મેદાનને રાતોરાત પાર્કિંગ ઝોન જાહેર કર્યો એટલે અમે સહકારની ભાવનાથી નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવા માટે તૈયારી દર્શાવી છે.

ઉપવાસ કાર્યક્રમ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત જાટ અને મરાઠા આંદોલનના આગેવાનો પણ ભાગ લેવા આવશે તેમ પાસ ટીમનું કહેવું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker