AhmedabadGujaratNewsPolitics

હાર્દિક ફાર્મહાઉસ પર કરશે આમરણાંત ઉપવાસ, કોંગી ધારાસભ્યોનું સમર્થન,પાટીદારોના ફાર્મહાઉસ પર ધામા

અમદાવાદ: હાર્દિક પટેલ આજે 25 ઓગસ્ટથી જ આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.

પોલીસ હાર્દિકને સમર્થન આપવા જનારના ડોક્યુમેન્ટની ચકાસણી, નોંધણી બાદ આપે છે પ્રવેશ

હાર્દિક આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટી રહ્યા છે. ગ્રીનવુડ રિસોર્ડમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારે બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપે છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં 144ની કલમ લાગુ

હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે

હાર્દિકની ટીમે ઉપવાસ માટે 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કર્યું

આજે હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેણે આજથી લઈને આગામી 6 તારીખ સુધી ઉપવાસનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. તેમાં કયા વિસ્તારના પાટીદારો સમર્થનમાં જોડાશે તેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો અને સવર્ણો પણ 28મીએ હાજર રહેશે તેવું જાહેર કરાયું છે. સાથે જ એ સિવાયના પાટીદારોને પણ ગમે ત્યારે ઉપવાસમાં જોડાવવા માટે આહવાન કર્યું છે.

હાર્દિક પટેલને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બેસીને ઉપવાસ કરવાની મંજૂરી માંગી હતી પણ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે પોલીસ અભિપ્રાયના આધારે મંજુરી આપી નથી.

પરવાનગી ન આપવી તે મારા માટે નહીં સરકાર માટે શરમજનક વાતઃ હાર્દિક

હાર્દિકે ઉપવાસ પર બેસવાને લઈ કહ્યું કે, સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહીં પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છુ, આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ ખેડૂતો અને અન્યાય સહન કરનાર લોકોની લડાઈ છે. મને મકાન ભાડે આપનાર વ્યક્તિને બોલાવીને પોલીસ દબાણ કરી રહી છે અને બે-બે વખત ભાડા કરાર મંગાવવામાં આવ્યો છે, આમ છતાં મારી લડાઈ ચાલુ રહેશે.

વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી અને એકે પટેલને આપ્યા સોલવન્સી જામીન

વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલે રૂ.20 હજાર ભરીને સોલવન્સી જામીન મેળવ્યા છે. આ અગાઉ ત્રણેયને વિસનગર કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યાર બાદ તેમને ત્રણ કલાકમાં જ જામીન મળ્યા હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો.

તબક્કાવારનું 13 દિવસનું હાર્દિકના ઉપવાસનું શિડ્યુઅલ

25 ઓગસ્ટ- સમગ્ર ગુજરાત માંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

26 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.

27 ઓગસ્ટ- માણાવદર , જામજોધપુર , ભેંસાણ , વિસાવદર , કેશોદ , લાલપુર , કાલાવડ , ધ્રોલ , જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે

28 ઓગસ્ટ- મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર , વડાલી , ઇડર , તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.

29 ઓગસ્ટ- ટંકારા , મોરબી , માળિયા , પડધરી , હળવદ , વાંકાનેર , લોધિકા , કોટડા-સાંગાણી , જસદણ , ગોંડલ , જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

30 ઓગસ્ટ- જુનાગઢ , સોમનાથ , ગીર ગઢડા , ભાયાવદર , પાનેલી , વંથલી , માળીયા , મેંદરડા , તાલાલા , બાબરા , લાઢી , સાવરકુંડલા , બગસરા , ધારી , ખાંભા , લીલીયા , અમરેલી , રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.

31 ઓગસ્ટ- ભાવનગર , ઘોઘા , સિહોર , ગારિયાધાર , પાલિતાણા , સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

01 સપ્ટેમ્બર – બહુચરાજી , લખતર , ધોળકા , બાવળા , સાણંદ , માણસા , ગોઝારીયા , વિસનગર , સતલાસણા , વિજાપુર , કલોલ , ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.

02 સપ્ટેમ્બર – અમદાવાદ , માંડલ , દેત્રોજ , વિરમગામ , દસક્રોઈ , પાટડી , વઢવાણ , મુળી , ચોટીલા , સાયલા , ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.

03 સપ્ટેમ્બર – સિદ્ધપુર , પાટણ , પાલનપુર , રાપર , ભુજ , નખત્રાણા , ગાંધીધામ , કડી , વડનગર , મહેસાણા , તેનપુર , બાયડ , માલપુર , મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

04 સપ્ટેમ્બર – કુતિયાણા , જુનાગઢ , બોટાદ , ગઢડા , વલભીપુર , ઉમરાળા , લુણાવાડા , શહેરા , ગોધરા , હાલોલ , કાલોલ , કડાણા , ખાનપુર , સંખેડા , ડભોઈ , કરજણ , પાદરા , સિનોર , વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

05 સપ્ટેમ્બર – કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

06 સપ્ટેમ્બર – ભરૂચ , જબુસર , આમોદ , ઝઘડિયા , નવસારી , વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker