શિવ ઉપાસનાના આ છે એવા રહસ્યો જેના વિશે નહીં જાણ્યું હોય તમે આજ સુધી

હિંદુ ધર્મમાં ભગવાન શિવની ઉપાસનાનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુ પણ શિવ ભક્ત છે. અને પુરાણોમાં ઉલ્લેખ છે કે, સ્વયં નારાયણ ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને શિવ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે.

શિવની ઉપાસના કરવાથી તમામ નક્ષત્રો,તમામ ગ્રહો અને તમામ દેવી દેવતાઓ નું પૂજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.ધર્મ શાસ્ત્રો માં ભગવાન શિવ ને જગત પિતા માનવમાં આવ્યા છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂરણબ્રહમ છે.હિન્દુ સંસ્કૃતિ માં ભગવાન શિવ ને મનુષ્ય કલ્યાણ નું પ્રતિક માનવમાં આવે છે.

શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસૃતિ માં દર્શનજ્ઞાનદ્વારા સંજીવની પ્રદાન કરનારા દેવ છે.શિવલિંગ એ ભગવાન શિવ નું નિરાકાર સ્વરૂપ છે.શિવલિંગ નું પૂજન અર્ચન કરવાથી ખૂબ કલ્યાણ થાય છે.ભગવાન શીવ આપણુ મૂળ છે,અને શીવ મહાપુરાણમાં જણાવ્યા અનુસાર ભાગવાન શંકર પાર્વતીનુ માતા પીતા તરીકે જે પુજન-અર્ચન કરે છે તેને આ લોક અને પરલોકનુ સુખ પ્રાપ્ત થાય છે.

ભવદ અને વરદ આ બન્ને નામ ભગવાન શીવના છે,ભવદનો અર્થ ભવસાગર પાર કરાવનાર અને વરદ એટલે વિશ્વના તમામ વરદાનો આપનાર.બીજાને સુખ,સંપત્તિ,અને વૈભવ વીલાસ આપે અને પોતે સ્મશાનમાં ખોપરીઓ અને સ્મશાનની ભસ્મ સાથે રહે તેમનુ નામ જ ભગવાન શીવ.શીવમહાપુરાણમાં શીવાલયનુ ખુબ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે.

  • શીવ મહાપુરાણ અનુસાર જે ગામમાં શીવ મંદિર ન હોય ત્યાંનુ પાણી ન પીવાય.
  • જે ઘરમાં શીવપુજા ન થતી હોય તે ઘરમાં જવાય નહી.
  • જે માણસના મુખમાં શીવનુ નામ ન હોય તેનુ મુખ પણ ન જોવાય..
  • આપણે જ્યારે જ્યારે શીવાલયમાં જઈએ ત્યારે ભગવાન શ્રી કાર્તીકેયને યાદ કરવાથી દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે.
  • જ્યારે પણ શીવાલયમાં જઈએ ત્યારે કાર્તીકેય કુબેર,ભૈરવ અને વિરભદ્રજીના દર્શન કરવાથી આપણુ મંગલ થાય છે.

કોઈ એવો માણસ કે જેણે જીવનમાં કોઈપણ પાપ કરવાના બાકી ન રાખ્યા હોય તેવો માણસ પણ જો શીવ મંદીરમાં જઈ અને ભગવાન મહાદેવને યાદ કરે તો એ માણસને જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે. કારણ કે જીવનો માલિક શીવ છે અને શીવને ભજવાથી મુક્તિ મળે છે. મહાદેવજીના મંત્રનો પણ મહિમા શીવમહાપુરાણમાં ગાવામાં આવ્યો છે.

કદાચ કોઈને મહાદેવ શબ્દ મોટો લાગતો હોય તો માત્ર શીવ- શીવ નીરંતર બોલતા રહેવાથી અને શીવને યાદ કરતા રહેવાથી મનુષ્યને સંસારના મૂળ પાપમાંથી મુક્તિ મળે છે. (આ શરીરને ટકાવી રાખવા માટે અમુક કરવી પડતી ક્રીયાઓને મૂળ પાપ કહેવાય છે). ભગવાન મહાદેવનુ નામ એ પાપને કાપવાનો કુહાડો છે. જેના મુખમાં શીવનુ નામ હોય તેના પર શીવના અમૃતનો વરસાદ થાય છે. જે કોઈ મનુષ્ય શીવનુ ભજન અને જપ કરે છે તેને તેને વિશ્વના તમામ ધર્મો પુણ્ય આપવા તૈયાર રહે છે. તો આવો અહંકાર, અભીમાન, ઈર્ષ્યા, આ બધી જ બદીઓને ત્યાગીને શીવ અને શક્તિના ચરણોમાં લીન થઈએ.

Scroll to Top