અફઘાનિસ્તાનમાં સ્થિતિ સતત બગડતી જઇ રહી છે. અહીંના કંદહાર પ્રાંતમાં કવરેજ માટે ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દિકીની હત્યા કરી દીધી છે. દાનિશ સિદ્દીકીની હત્યા કંધારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં અથડામણ દરમ્યાન થઇ છે.
દાનિશ સિદ્દીકીની ગણના વિશ્વના સારા ફોટો જર્નાલિસ્ટમાં થતી હતી. તે વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય એજન્સી Reuters સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસાના કવરેજ માટે ગયા હતા.
દાનિશ સિદ્દીકીએ તાજેતરમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અફઘાનિસ્તાન કવરેજ સાથે જોડાયેલી તસવીર અને વીડિયો શેર કર્યા હતા. આ દરમિયાન દાનિશ સિદ્દીકીના કાફલા પર કેટલીક વખત હુમલો કરવામાં આવ્યો હતો જેનો વીડિયો તેમણે શેર કર્યો હતો.
વર્ષ 2018માં દાનિશ સિદ્દીકીને Pulitzer Prizeથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે, આ એવોર્ડ તેમણે રોહિગ્યામાં કવરેજ માટે મળ્યો હતો. દાનિશ સિદ્દીકીએ પોતાના કરિયરની શરૂઆત એક ટીવી જર્નાલિસ્ટ તરીકે કરી હતી, બાદમાં તે ફોટો જર્નાલિસ્ટ બની ગયા હતા.
તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસા, કોરોના વાયરસ સંકટ, લોકડાઉન, ઓક્સીજન સંકટ દરમિયાન દાનિશ સિદ્દીકી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરોએ ચર્ચા જગાવી હતી. દાનિશ સિદ્દીકીની આ તસવીરોમાં દેશના અલગ અલગ ભાગમાં દર્દને બતાવવામાં આવ્યુ હતું.