ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 સીરીઝની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા સ્ટાર બેટ્સમેનોને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. એટલા માટે ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. હવે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ માટે મોટી વાત કહી છે.
ઈરફાન પઠાણે આ નિવેદન આપ્યું હતું
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપતી વખતે પસંદગીકારોને ગુજરાત ટાઇટન્સના સુકાનીની ફિટનેસ પર નજર રાખવાની ચેતવણી આપી છે. પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન કહ્યું, ‘હાર્દિકે કેપ્ટનશિપ કરી છે, પછી ભલે તે IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે હોય કે શરૂઆતમાં ભારત માટે મને લાગ્યું કે તે ખૂબ સારું કરે છે. તે ખૂબ જ ચપળ દેખાતો હતો.
કેપ્ટનશિપ માટે આ કહ્યું
ઈરફાન પઠાણે કહ્યું, ‘જ્યારે તેની કેપ્ટનશિપની વાત આવે છે ત્યારે હું તેની કાર્યશૈલીથી ખૂબ જ પ્રભાવિત થયો હતો પરંતુ સાથે જ ભારતે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે તેને લાંબા સમય સુધી કેપ્ટન બનાવશો તો તેને ઘણી કિંમત ચૂકવવી પડશે. તેની ફિટનેસ પર ધ્યાન આપવુ પડશે પછી ભલે તમે તેની સાથે વાત કરો કે ટીમ મેનેજમેન્ટ સાથે. આગળ વધવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ટીમ મેનેજમેન્ટે સાવધાન રહેવું પડશે
પઠાણે કહ્યું, ‘તેની પીઠની સમસ્યા તેને ફરીથી પરેશાન કરી શકે છે, એવું લાગે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ હાર્દિક પંડ્યા પર વધુ પડતું દબાણ લાવતા ખૂબ કાળજી રાખવી પડશે.’
હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે ચમક્યો
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શકી નથી. આ કારણોસર હાર્દિક પંડ્યાને ટી-20 ટીમનો કાયમી કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ઇજા બાદ હાર્દિકે IPL 2022માં ગુજરાત ટાઇટન્સને પોતાના દમ પર ટ્રોફી જીતી હતી. તેણે કેપ્ટન તરીકે પોતાની કુશળતા બતાવી છે. આ સાથે જ હાર્દિકે આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં કેપ્ટનશિપ કરી છે. તે ઓલરાઉન્ડર અને ફિનિશર તરીકે ખીલ્યો છે.