મુંબઈના સાકીનાકામાં થયેલા યુવતીના ક્રૂર રેપ અને હત્યાની બાબતમાં આરોપી દ્વારા પોતાનો ગુનો કબુલી લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ પર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના આરોપી સામે એસસી-એસટી એક્ટ લગાવવા ભારે દબાણ વચ્ચે પીડિતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને એક મોટી જાણકારી સામે આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણકારી સામે આવી છે કે, પીડિતાના શરીર પર ઈજાના નિશાન હોવા સિવાય પ્રાઈવેટ પાર્ટમાં આરોપી દ્વારા નાખવામાં આવેલ અણીદાર વસ્તુના કારણે ગંભીર ઈજા થઈ હતી અને આ વસ્તુ પીડિતાના પ્રાઈવેટ પાર્ટના રસ્તેથી છેક પેટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
જેમાં 32 વર્ષની આ યુવતીનું ગત શનિવારના રોજ મોત થયું હતું. તેના પર એક પાર્ક કરેલા ટેમ્પોમાં કથિત રીતે તેના ઓળખીતા ડ્રાઈવર દ્વારા 36 કલાક સુધી રેપ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રતિનિધિ મંડળ દ્વારા પીડિતાના બાળકની રાજ્ય સરકાર દેખરેખ રાખે તેવી પણ માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના વાઈસ ચેરમેન અરુણ હલ્દરે દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં એસસી-એસટી એક્ટ લાગવાથી પીડિતાના પરિવારને તાત્કાલિક 4.25 લાખ રૂપિયાની સહાય આપવાની માંગણી કરવામાં આવી છે.
તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરશે ત્યારે એટલી જ રકમ પરિવારને મળવા પાત્ર રહેલ છે. જ્યારે આ કાયદા હેઠળ પીડિતાના બધા બાળકોના શિક્ષણનો ખર્ચ અને તેઓ વયસ્ક થાય ત્યારે સરકારી નોકરી આપવામાં આવે છે અને ઘર પણ આપવાની જોગવાઈ રહેલી છે.
આ દરમિયાન મુંબઈ પોલીસ કમિશ્રનર હેમંત નગરાલેએ આ બાબતમાં ફરીથી જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે, તપાસમાં જાણકારી સામે આવી છે કે, પીડિતા એક વિશિષ્ટ સમાજની છે એટલે હવે આ કેસમાં એસટી-એસટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે અને એ જ આધાર પર તપાસ કરવામાં આવી રહી છે.
કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપી 21 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેલ છે. આરોપી દ્વારા ગુનો કબુલ્યા બાદ ઘટના અંગે કહ્યું છે કે, જેની સીક્વન્સિંગ થયું છે. તેમણે કહ્યું છે કે, ઘટના સ્થળ પર પીડિત મહિલા ક્યારે આવી હતી, આરોપી ક્યારે આવ્યો, આ ગુનો કઈ રીતે બન્યો અને આરોપી ગુનો કર્યા બાદ ક્યારે અને કઈ રીતે ચાલ્યો ગયો, આ સમગ્ર સીક્વન્સમાં અમને ઘણા પૂરાવા પણ મળી આવ્યા છે.
પોસ્ટમોર્ટમના રિપોર્ટના મુજબ, જાણવા મળ્યું છે કે, શરીરમાં ઘણી જગ્યાએ તેને ઈજા થઈ હતી. પીડિતાને પેટમાં પણ ઈજા થઈ છે. રિપોર્ટમાં તેને અકુદરતી મૃત્યુ લખવામાં આવ્યું છે. તેમ છતાં કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો તે અંગે ઉલ્લેખ ન કરવા મુંબઈ પોલીસ કમિશનર દ્વારા મીડિયા કર્મીઓને કહેવામાં આવ્યું છે.