GujaratNewsPolitics

હાર્દિકે કહ્યું-સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે, સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે,આજથી આરપારની સ્થિતિ

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફીને લઈ હાર્દિક પટેલઆમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આજે તેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે. ગઈકાલે(29 ઓગસ્ટ) હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી હતી. આજે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે,’સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે, જનતંત્રમાં જનતાનો અવાજ દબાવી શકાય નહીં, જો તેનો અવાજ દબાવવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે!! ગુજરાતમાં જે રીતે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, હું દાવા સાથે કહું છું, સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે. ‘

પાણી પીવાનું છોડવાથી કિડની-હ્રદય પર થઈ શકે અસરઃ ડૉક્ટર

હાર્દિકના સ્વાસ્થ્યને લઈ ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, યુરીન અને બ્લડનું એસીટોમ લેવલ ચેક કરવું પડે. સીરમ એસીટોમનું પ્રમાણ વધ્યું છે, ગઈકાલના ચેકઅપમાં બ્લડ અને યુરીનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પાણીનો ત્યાગ કરવો તેમના શરીર માટે હાનિકારક છે. કિડની અને હ્રદય પર અસર થઇ શકે છે. જેટલી વાર ચેકઅપ કર્યા એટલી વાર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.પાણી અને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. ગઈકાલની સરખામણીએ આજે પણ વજનમાં ઘટાડો થયો છે. શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. અત્યાર સુધીમાં સાડા ચાર કિલો વજન ઘટ્યું છે.

આમરણાંત ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિકને સમર્થન આપવા માટે દેશભરમાંથી લોકો આવવાના છે, ત્યારે આજે કોંગ્રેસના નેતા દીપક બાબરીયા (મધ્ય પ્રદેશ પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી) આવશે.

હાર્દિકની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

બુધવારે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસ તેના ઘર પર દૂધ-શાકભાજી, કરિયાણા સહિતનો જીવન જરૂરી સામાન પણ અટકાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે પોલીસ તેના ઘરે આવી રહેલા લોકોને પણ અટકાવી રહી છે.

તેના ઘરે પાણી, દૂધ સહિતનો પુરવઠો પણ રોકી દેવામાં આવી રહ્યો છે. તેના ઘરે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી તેમના ભોજનની વ્યવસ્થા માટે આ તમામ વસ્તુઓ જરૂરી છે. આ ઉપરાંત લોકોની સગવડતા માટે પોલીસ તેના ઘરે મંડપ પણ બાંધવા નથી દઈ રહી. હાર્દિકની આ અરજી પણ આજે (30મી ઓગસ્ટ)ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થશે.

રાજદ્રોહના કેસમાં હાર્દિક સામે ઘડાશે આરોપો

હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં આરોપો ઘડાશે. આ માટે આજે હાર્દિકે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહે તો તેની સામે ધરપકડ વોરંટ પણ નીકળી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker