ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કર્યા બાદ ખોડલધામ પ્રમુખે આપ્યું નિવેદન

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા પત્રકારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમને આ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, અમે શુભેચ્છા મુલાકાત અને માતાજીના દર્શને આવવા માટે તેમને આમંત્રણ આપ્યું છે. તેની સાથે એ પણ કહ્યું કે, પાટીદાર સમાજના જે મુદ્દા રહેલા છે તેનું નિરાકરણ હજી આવ્યું નથી.

જ્યારે આગામી દિવસોમાં એક કમિટી એમને મળવા જશે અને આંદોલન સમયના કેસો પરત ખેંચવાનો મુખ્ય મુદ્દો ઉઠાવશે. ઓબીસીમાં સામેલ કરવાની બાબતને લઈ અત્યારે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી, અમારી બંને સંસ્થાઓ સાથે મળીને ચર્ચા-વિચારણા કરવા માટે જશે.

જાણકારી મુજબ, પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો બુધવારના ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે ર્સ્વિણમ સંકૂલમાં પહોંચ્યા હતા. આ મૂલાકત બાદ સિદસર સ્થિત સંસ્થાના જયરામ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી છે. આ કોઈ એજન્ડા હેઠળની આ મુલાકાત નહોતી.

તેની સાથે અમદવાદમાં ઉમિયા કેમ્પસના એક કાર્યક્રમ માટે આમંત્રણ સંદર્ભે ઔપચારિક વાતચીત કરવામાં આવી હતી. તે પાટીદાર સમાજના છે તેનું અમને ગૌરવ છે, સમાજના પ્રશ્નોનુ નિરાકરણ આવશે તેવી અપેક્ષા કરવામાં આવી છે. જ્યારે તેની ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવશે. આજની આ મુલાકાત માત્ર શુભેચ્છા ભેટ માટે જ કરવામાં આવી હતી.

Scroll to Top