GujaratNewsPolitics

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : 75,000 ગુજરાતીઓ મોદીનો કરશે વિરોધ, 72 ગામમાં નહીં સળગે ચૂલો

કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરશે.

નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનિક આદિવાસી સંગઠનોએ કહ્યું કે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પરિયોજનાથી પ્રભાવિત લગભગ 75,000 આદિવાસી પ્રતિમાના અનાવરણ અને વડાપ્રધાનનો વિરોધ કરશે. આદિવાસી નેતા ડૉકટર પ્રફુલ વસાવાએ કહ્યું, “તે દિવસે અમે શોક મનાવીશું અને 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.”

આદિવાસી સમાજના રિવાજ મુજબ, ઘરમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થવાથી શોકરૂપે અમે ઘરમાં જમવાનું બનાવતા નથી. તેમણે કહ્યું, “આદિવાસીઓના અધિકારોનું હનન થઈ રહ્યું છે. આપણા ગુજરાતના મહાન સપૂત સરદાર પટેલ સાથે કોઈ વિરોધ નથી અને તેમનું સન્માન કરવુ જોઈએ. અમે તેમના વિરુદ્ધ નથી, પરંતુ સરકારનો વિકાસનો વિચાર એકબાજુ અને આદિવાસીઓ વિરુદ્ધ છે.” આદિવાસી સમાજ ફરિયાદ કરી રહ્યો છે કે તેમની જમીનો ‘સરદાર સરોવર નર્મદા પરિયોજના’ તેની નજીક સ્થિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ તથા તેની સાથે-સાથે વિસ્તારમાં પ્રસ્તાવિત અન્ય પર્યટન ગતિવિધિઓ માટે લેવામાં આવી છે.

વસાવા મુજબ, ‘અસહયોગ આંદોલનને’ પ્રદેશના લગભગ 100 નાના-મોટા આદિવાસી સંગઠન સમર્થન આપી રહ્યાં છે. વિરોધ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા સુધી લગભગ નવ આદિવાસી જિલ્લા આંદોલનમાં ભાગ લેશે. તેમણે કહ્યું, “31 ઓક્ટોબરે ‘બંધ’ ફક્ત શાળા, કાર્યાલયો અથવા વ્યવસાયિક સંસ્થાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ ઘરમાં જમવાનું ન બનાવીને વિરોધ વ્યક્ત કરાશે.” નર્મદા નદીની પાસે સાધુ બેટ દ્વિપ પર સતત લગભગ 3400 મજૂર અને 2500 એન્જિનિયર સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને અંતિમ રૂપ આપી રહ્યાં છે. નર્મદા બંધના નિચેના વિસ્તારમાં આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, જેની પાછળ લગભગ 2389 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરદાર પટેલના હૃદયમાંથી જુઓ નર્મદા ડેમ અને વિધ્યાંચલની પર્વતમાળાઓ

રોજનાં 15000 પ્રવાસીઓ લેશે મુલાકાત

લોકાર્પણ બાદ રોજ 15000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પર્યટકો માટે મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. સાથે ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે.

31 ઓક્ટોબરે PM મોદી કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ માટે તૈયાર છે. આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી આ પ્રતિમાને લોકાર્પિત કરવાના છે. ત્યારે વહીવટી તંત્રએ દિવસ-રાત દોડધામ કરી લોકાર્પણને સફળ બનાવવા કમર કસી છે.

1.23 કરોડનાં ખર્ચે થશે લાઇટિંગથી સુશોભિત

આ સ્ટેચ્યૂને 1.23 કરોડના ખર્ચે કાયમી લાયટીંગથી સુશોભિત કરાયું છે. આ સાથે તેને રંગબેરંગી લાઈટોથી સજાવવા માં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિલોમીટરના વિસ્તારને LED લાઈટથી સજાવવા તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.. સ્ટેચ્યુની ફરતે 3 અલગ અલગ મોટા ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે.. જેમાં એક પોલ પર 24 વ્હાઇટ ફ્રેઝર લાઈટ લગાવામાં આવશે. સામેના પોલ પર 50થી વધુ લાઈટો લગાવાશે. એક લાઈટ 1000 વૉલ્ટની હશે.. આ લાઇટિંગનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે તેવા એંધાણ છે.

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિશેષતાઓ

2400 કરોડના ખર્ચ સાથે 182 મીટરની સૌથી ઉંચી પ્રતિમાનો વિશ્વ રેકોર્ડ. ગેલેરીમાંથી 3000 પર્યટકો ડેમ સાથે વિધ્યાંચલની પર્વતમાળાઓ નિહાળી શકશે. સરદારે સેવેલું ડેમનું સ્વપ્ન તેમના હૃદયમાંથી જોવાની તક મળે તેવી ભવ્ય વ્યુ ગેલેરી.

એક સાથે 200 થી વધારે પ્રવાસી વ્યુ-ગેલેરીનો લાભ મેળવશે. 182 મીટર એટલે લગભગ 50 માળ જેટલી ઉંચી પ્રતિમાની ગેલેરી સુધી પહોંચવા લિફ્ટમાં માત્ર સાત સેકેન્ડ થાય છે.

પ્રતિમાને વિરાટ કદમાં અનેક એક્ઝિશન હૉલ, થિયેટરો, કાયમી પ્રદર્શનો સાથે ગુજરાતની આઝાદીનું ઈતિહાસ પ્રદર્શન તરીકે રહેશે. આઝાદીના સેનાપતિઓનું મોટુ સન્માન ગણાવી શકાય તેવું વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થાય તેટલું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વિશાળ કદ.

70 હજાર ટન સીમેન્ટ, 25 હજાર ટન સ્ટીલ, સાથે કાશ્યના આવરણ સાથે બનેલી આ પ્રતિમાનું કુલ વજન 1700 મેટ્રિક ટન જેટલું અંદાજ્યું છે.

સરદારની જન્મજંયતિના દિવસે આ પ્રવાસન સ્થળ પર ફ્લાવર ગાર્ડન, બોટિંગ, અનેક હોટલ, સરકારી ભવન, ફૂડપાર્ક, ઈલેક્ટ્રિક સંચાલિત મોટર- વાહન વ્યવસ્થા, રોશની વગેરે મુખ્ય આકર્ષણો રહેશે. સરદાર સરોવર ડેમ સાઈટ હવેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આગળ ઓળખ મેળવશે, કેમકે તેના પાયામાં ગુજરાતની ગામેગામેથી માટી તથા સ્ટેચ્યૂ બનાવવા માટે ખેડૂતોએ આપેલું લોખંડ સામેલ કર્યું છે. જેમા સાચી એકતાનો ભાવ જોડવામાં આવ્યો છે.

મુળ સાધુ બેટ પર જ્યાં આ પ્રતિમા બની છે તેનો રસપ્રદ ઈતિહાસ આ છે કે સતત વહેતી નર્મદા નદી પર આ એકમાત્ર ટેકરી‘ બેટ’ તરીકે પૂર સમયે પણ બહાર રહેતી અને ત્યાં પ્રક્રિયા પથ પર સાધુઓ નિવાસ કરતા તેમ તે સાધુબેટ તરીકે પ્રચલિત બની. હવે વાહ તાજ નહી વાહ સરદાર પ્રચલિત થશે, વિશ્વના પ્રવાસીઓ માટે વડોદરા એરપોર્ટથી કેવડિયા સુધીનો નવો રસ્તો તથા આસપાસના પ્રવાસધામોને જોડતો ટુરીઝમ રૂટ તૈયાર કરાશે, જેમાં ગુજરાતના મુખ્ય શહેરોને જોડવામાં આવશે.

પ્રતિમાના વ્યું પોઈન્ટ પરથી ફ્રન્ટ અને બેક આમ બંને વ્યૂ જોઈ શકાય છે.વિશ્વની બાકીની પાંચ પ્રતિમાઓમાં ચીન અને જાપાનમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ છે. એટલે કે કુલ 6 પ્રતિમાઓમાંથી ત્રણ પ્રતિમા અને બે મહાપુરુષો ભારતની ધરતીપર પેદા થયા છે.

બુદ્ધની પ્રતિમા પાંચસો વર્ષ પછી બની જ્યારે સરદાર પટેલની પ્રતિભા અને પ્રતિમા માત્ર 100 વર્ષમાં જ વિશ્વસનીય બની.

રાત્રિ રોકાણ માટે ટેન્ટસીટીનું કાયમી ધોરણે આયોજન છે જે એક સાઈડ ડેમ તથા અન્ય જગ્યાઓ પર કાયમી ધોરણે વિકસિત કરાશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સરદાર મંત્ર આ સ્મારક પૂર્ણ કરવા પ્રયાસ થશે. જેના કારણે વિશ્વમાં એકતાની ભાવના વધશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker