ગુજરાતમાં રોકાયેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. જેના જે કારણે ગુજરાતના ખેડૂતો ચિંતિત છે. રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની એક્ટિવિટી વધશે. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો  છે જેના જે કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોડાસાના માથાસુલિયા, ઝાલોદર, અમલાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ 98 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જે પૈકી 43 હજાર હેક્ટરમાં મગફળી, 21 હજાર હેક્ટરમાં સોયાબીન અને 9 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે.

ગુજરાતમાં ખરીફ વાવેતરના છેલ્લા ત્રણ વરસની સરેરાશમાં કુલ 15,88,124 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેમાં જે આ વર્ષે અત્યાર સુધીમાં 5,23,253 હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યું છે. જેમાં જે સૌથી વધુ વાવેતર મગફળીનું 1,80,683 હેક્ટરમાં અને બીજા ક્રમે કપાસનું વાવેતર 1,28,908 હેક્ટરમાં થયું છે.

વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ 13 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ 13 ટકા જેટલો જ છે. ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.

Scroll to Top